મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નવી વિદ્યાસહાયક ભરતી પહેલા જિલ્લા ફેર બદલી કેમ્પ કરવા ધારાસભ્યોને કરાઇ રજુઆત


SHARE













મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નવી વિદ્યાસહાયક ભરતી પહેલા જિલ્લા ફેર બદલી કેમ્પ કરવા ધારાસભ્યોને કરાઇ રજુઆત

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તા 19 ના રોજ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ  100 % બતાવી  જિલ્લા ફેર બદલી કેમ્પ ઓફલાઈન અને ઓનલાઈન યોજવા બાબતે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને રૂબરૂ મળી આવેદન આપવામાં આવ્યું હતું તેમજ વાંકાનેર અને હળવદના ધારાસભ્યોને સંઘના પ્રતિનિધિઓએ તેઓના કાર્યાલય ખાતે જઈને આવેદન પત્ર આપવામાં આવ્યા હતા અને નવી વિદ્યાસહાયક ભરતી પહેલા જિલ્લા ફેર બદલી કેમ્પ કરવા રજૂઆત કરવામાં આવી છે.

આ તકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઇ હુંબલ, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ વિરમભાઈ દેસાઈ, ટંકારા તાલુકા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર, મોરબી તાલુકા ગ્રામ્ય પ્રમુખ હિરેનભાઈ કુંડારીયા, મોરબી શહેર મહામંત્રી ચમનભાઈ ડાભી, મોરબી જિલ્લા સિનિયર ઉપપ્રમુખ અજયભાઈ ડાંગર,મોરબી જિલ્લા કાર્યાધ્યક્ષ દેવરાજભાઈ રબારી, મોરબી તાલુકા સંઘના ઉપપ્રમુખ ગૌરાંગ ભાઈ ગોહેલ, પૂર્વ પ્રમુખ ટંકારા કાવર મણિલાલ તથા મોરબી જિલ્લા પ્રાથમિક સંઘના અન્ય હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેની સાથે જિલ્લા ફેર વાંચ્છુક શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા અને બન્ને ધારાસભ્યઓને રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ 100 % જિલ્લા ફેર બદલી કેમ્પમાં બતાવી ઓફલાઈન અને ઓનલાઈન જિલ્લાફેર બદલી કેમ્પ યોજી પછી બાકી રહેતી જગ્યાઓ પર વિદ્યાસહાયક ભરતી કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી અને સરકાર સુધી તેઓની રજૂઆત અને આવેદનપત્ર પહોંચાડવા માટેની રજુઆત કરી હતી. તેવું સંઘના પ્રમુખ દિનેશભાઇ આર. હુંબલ અને મહામંત્રી પ્રફુલભાઈ એસ. નાયગપરાએ જણાવ્યુ છે.






Latest News