મોરબીની પાંજરાપોળ ખાતે યોજાનાર ધર્મ સભામાં ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાનો ઠરાવ કરવા કોંગી આગેવાનની માંગ
SHARE








મોરબીની પાંજરાપોળ ખાતે યોજાનાર ધર્મ સભામાં ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાનો ઠરાવ કરવા કોંગી આગેવાનની માંગ
મોરબી પાંજરાપોળ ખાતે ઘર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ હાજર રહેવાના છે ત્યારે ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા સરકારમાં રજૂઆત માટે આ ધર્મસભામાં ઠરાવ કરવામાં આવે તેવી લાગણી કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ વ્યક્ત કરેલ છે.
મોરબીની પાંજરાપોળ ખાતે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજની ઉપસ્થિતિમાં ઘર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના ગૌરક્ષકો ત્યાં હાજર રહેવાના છે ત્યારે આ ઘર્મ સભામાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ હાજર રહેવાના છે જેથી કરીને પ્રજાની લાગણી અને માંગણી છે કે, ગુજરાત સરકાર વિધાનસભામાં ગો હત્યા પ્રતિબંધ મૂકે અને ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરે તે માટે આ ઘર્મ સભામાં જગદગુરુ શંકરાચાર્યની હાજરીમાં ઠરાવ કરી મોરબીના ધારાસભ્ય પ્રજાની વચ્ચે કહે કે “હું આગામી વિધાનસભામાં ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા અને ગોં હત્યા ઉપર પ્રતિબઘ મુકાવવા વિધાનસભામાં એક પ્રસ્તાવ લાવીશ” તેવી પ્રજાની લાગણી અને માંગણી છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે.

