હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીની પાંજરાપોળ  ખાતે યોજાનાર ધર્મ સભામાં ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાનો ઠરાવ કરવા કોંગી આગેવાનની માંગ


SHARE







મોરબીની પાંજરાપોળ  ખાતે યોજાનાર ધર્મ સભામાં ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાનો ઠરાવ કરવા કોંગી આગેવાનની માંગ

મોરબી પાંજરાપોળ  ખાતે ઘર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મોરબીના ધારાસભ્ય  કાંતિભાઈ અમૃતિયા પણ હાજર રહેવાના છે ત્યારે ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા સરકારમાં રજૂઆત માટે  આ ધર્મસભામાં ઠરાવ કરવામાં આવે તેવી લાગણી કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ વ્યક્ત કરેલ છે.

મોરબીની પાંજરાપોળ ખાતે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજની ઉપસ્થિતિમાં ઘર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના ગૌરક્ષકો ત્યાં હાજર રહેવાના છે ત્યારે આ ઘર્મ સભામાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ  હાજર રહેવાના છે જેથી કરીને પ્રજાની લાગણી અને માંગણી છે કે, ગુજરાત સરકાર વિધાનસભામાં ગો હત્યા પ્રતિબંધ મૂકે અને ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરે તે માટે આ ઘર્મ સભામાં  જગદગુરુ શંકરાચાર્યની હાજરીમાં ઠરાવ કરી મોરબીના ધારાસભ્ય પ્રજાની વચ્ચે કહે કે હું આગામી વિધાનસભામાં ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા અને ગોં હત્યા ઉપર પ્રતિબઘ મુકાવવા વિધાનસભામાં એક પ્રસ્તાવ લાવીશ તેવી પ્રજાની લાગણી અને માંગણી છે તેમ  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે.






Latest News