મોરબીમાં આજે અષાઢી બીજે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાઇ: રબારી-ભરવાડ સમાજના લોકો દ્વારા રસ ગરબા-હુડા રસની જમાવટ મોરબી: વતનથી આવેલ ભાઈને લઈને વાડીએ જઈ રહેલા ભાઇનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, કુહાડી, ધારિયા વડે થયેલ સામસામી મારામારીમાં હવે બંને પક્ષેથી નોંધાઇ ફરિયાદ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને અંતિમ પગલુ ભર્યાના બનાવમાં વધુ બે આરોપી ઝડપાયા: બંને જેલ હવાલે મોરબી: ટાઇલ્સ ટ્રેડિંગ પેઢીના સંચાલકે કર્મચારીની જાણ બહાર નામ-ખોટી સહિ કરીને બેન્ક એકાઉન્ટ ખોલાવી કર્યા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર વાંકાનેરમાં ઇજાગ્રસ્ત દિયરની ખબર પૂછવા આવેલ ભાભી-ભત્રીજી ઉપર પાડોશી શખ્સે કર્યો પાઇપ વડે હુમલો મોરબીના લાલપર પાસે ડિવાઇડર કૂદીને ઇકો ગાડી સર્વિસ રોડ ઉપર બાઈક સાથે અથડાતાં આધેડને પેટની હોજરી અને પગમાં ગંભીર ઇજા મોરબીના બેલા ગામ પાસેથી દારૂના 22 પાઉચ સાથે એક શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની પાંજરાપોળ  ખાતે યોજાનાર ધર્મ સભામાં ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાનો ઠરાવ કરવા કોંગી આગેવાનની માંગ


SHARE















મોરબીની પાંજરાપોળ  ખાતે યોજાનાર ધર્મ સભામાં ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાનો ઠરાવ કરવા કોંગી આગેવાનની માંગ

મોરબી પાંજરાપોળ  ખાતે ઘર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મોરબીના ધારાસભ્ય  કાંતિભાઈ અમૃતિયા પણ હાજર રહેવાના છે ત્યારે ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા સરકારમાં રજૂઆત માટે  આ ધર્મસભામાં ઠરાવ કરવામાં આવે તેવી લાગણી કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ વ્યક્ત કરેલ છે.

મોરબીની પાંજરાપોળ ખાતે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજની ઉપસ્થિતિમાં ઘર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના ગૌરક્ષકો ત્યાં હાજર રહેવાના છે ત્યારે આ ઘર્મ સભામાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ  હાજર રહેવાના છે જેથી કરીને પ્રજાની લાગણી અને માંગણી છે કે, ગુજરાત સરકાર વિધાનસભામાં ગો હત્યા પ્રતિબંધ મૂકે અને ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરે તે માટે આ ઘર્મ સભામાં  જગદગુરુ શંકરાચાર્યની હાજરીમાં ઠરાવ કરી મોરબીના ધારાસભ્ય પ્રજાની વચ્ચે કહે કે હું આગામી વિધાનસભામાં ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા અને ગોં હત્યા ઉપર પ્રતિબઘ મુકાવવા વિધાનસભામાં એક પ્રસ્તાવ લાવીશ તેવી પ્રજાની લાગણી અને માંગણી છે તેમ  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે.






Latest News