મોરબીથી બીમારી સબબ બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
SHARE
મોરબીથી બીમારી સબબ બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કેસવાનંદ બાપુના આશ્રમ પાસે કુલીનગર-1 માં રહેતા યુવાનને બીમારી સબબ બેભાન થઈ જતા સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની રાજકોટની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કેશવાનંદ બાપુના આશ્રમ સામે કુલીનગર-1 માં રહેતા શબ્બીરભાઈ હુસેનભાઇ જેડા (37) નામનો યુવાનને ચાર દિવસ પહેલા પોતાના ઘરે હતો ત્યારે બીમારી સબબ બેભાન થઈ જતા પ્રથમ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની રાજકોટની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી