મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રસૂતિ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ મહિલાનું ડિલવરી વખતે મોત


SHARE







મોરબીમાં પ્રસૂતિ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ મહિલાનું ડિલવરી વખતે મોત

મોરબીના છાત્રાલય રોડ ઉપર આવેલ ધર્મ વિજય રેસીડેન્સીમાં ક્રિષ્ના પેલેસ ખાતે રહેતી મહિલાને પ્રસુતિની પીડા થતા તેને તાત્કાલિક મોરબીની જનની હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં ડીલવરી વખતે કોઈપણ કારણોસર તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતકના પતિ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ ધર્મવિજય રેસીડેન્સી ક્રિષ્ના પેલેસમાં રહેતા કિશનભાઇ નગીનભાઈ કવાડિયા (29)ના પત્ની સોનલબેન કવાડિયા (28)ને પ્રસુતિની પીડા થતા તેને મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ જનની હોસ્પિટલ ખાતે ડીલેવરી માટે દાખલ કરેલા હતા અને દરમિયાન ડીલવરી વખતે કોઈપણ કારણોસર તેનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગેની મૃતક મહિલાના પતિ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ સી.એમ. કરકર ચલાવી રહ્યા છે.






Latest News