મોરબીથી બીમારી સબબ બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
મોરબીમાં પ્રસૂતિ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ મહિલાનું ડિલવરી વખતે મોત
SHARE








મોરબીમાં પ્રસૂતિ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ મહિલાનું ડિલવરી વખતે મોત
મોરબીના છાત્રાલય રોડ ઉપર આવેલ ધર્મ વિજય રેસીડેન્સીમાં ક્રિષ્ના પેલેસ ખાતે રહેતી મહિલાને પ્રસુતિની પીડા થતા તેને તાત્કાલિક મોરબીની જનની હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં ડીલવરી વખતે કોઈપણ કારણોસર તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતકના પતિ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ ધર્મવિજય રેસીડેન્સી ક્રિષ્ના પેલેસમાં રહેતા કિશનભાઇ નગીનભાઈ કવાડિયા (29)ના પત્ની સોનલબેન કવાડિયા (28)ને પ્રસુતિની પીડા થતા તેને મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ જનની હોસ્પિટલ ખાતે ડીલેવરી માટે દાખલ કરેલા હતા અને દરમિયાન ડીલવરી વખતે કોઈપણ કારણોસર તેનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગેની મૃતક મહિલાના પતિ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ સી.એમ. કરકર ચલાવી રહ્યા છે.

