મોરબી પેપર મિલ્સ એસો.ની જીએમડીસી સમક્ષ મુશ્કેલીના સમયમાં લિગ્નાઈટના ભાવમાં સ્થિરતા જાળવવાની માંગ મોરબી મનપાની હદમાં વાડી વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની લાઈન માટેની કામગીરી પ્રગતિ હેઠળ મોરબી મનપાની એસ્ટેટ શાખા એ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી તપનભાઇ દવેનું હળવદ શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરાયુ સન્માન મોરબીના 108 બાકીદારોની મિલકતને સીલ કરતુ મહાનગરપાલિકા: મકાનનો વેરો ન ભરનારા 2 આસામીઓના નળ કનેક્શન કટ ગુજરાતમાં દારૂબંધીને ધજાગરા !: મોરબીના આંદરણા ગામે સરકારી શાળામાં શિક્ષક નશાની હાલતમાં વિદ્યાર્થીઓને ભણાવતા ઝડપાયો, ક્લાસરૂમમાંથી દારૂની અડધી બોટલ મળી મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે તળાવ નજીકથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો મોરબી માળિયા હાઇવે રોડ ઉપરથી પસાર થતી કારમાં આગ લાગતા કાર બળીને ખાખ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં હર્ષોલ્લાસથી મનુષ્ય ગૌરવ દિનથી ઉજવણી


SHARE













વાંકાનેરમાં હર્ષોલ્લાસથી મનુષ્ય ગૌરવ દિનથી ઉજવણી

19 ઓકટોબર એટલે મનુષ્ય ગૌરવ દિન પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (દાદાજી)નો જન્મદિવસ, જેમણે આખું વિશ્ર્વ મનુષ્ય ગૌરવદિન તરીકે હર્ષોઉલ્લાસથી ઉજવે છે. આ વૈશ્ર્વિક મહાપુરૂષે ત્રિકાળ સંધ્યાના મહામંત્રથી લાખો માનવ જીવન બદલાવ્યા છે. માનવ્યને ખરા અર્થમાં હ્વદયસ્થ ભગવાનની સમજણ આપીને મનુષ્યનું ગૌરવ નિર્માણ કર્યુ છે.

આ મનુષ્ય ગૌરવ દિનની ઉજવણી કરવા હજારો સ્વાધ્યાયીઓએ છ દિવસ ગામડે ગામડે પોતાનો ટાઈમ, ટિફિન, અને ટિકિટ લઈને ભકિત ફેરીના માધ્યમથી હજારો ગામડાઓમાં હ્વદયસ્થ ભગવાનનો વિચાર લઈને જવાનો પ્રયત્ન કર્યો છે. આવી રીતના આવા કળી કાળમાં નિ:સ્વાર્થ ભાવે માણસને સહજ મળવા જવું એક વિશ્ર્વની અજાયબી છે.

વાંકાનેર તાલુકામાં દેવી પુજક વિસ્તારમાં પણ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. મંત્રમુગ્ધ બની જાય તેવી બાળકોની ભાવવંદના અને અંતમાં હજારો મીણબત્તીનો નજારો, જેમાં મનુષ્ય ગૌરવની પાંડુરંગી જયોત પ્રગટતી હતી. 






Latest News