આમ આદમી પાર્ટીના મોરબી પાલિકાના ઈનચાર્જ તરીકે વસંતભાઈ ગોરીયાની વરણી
SHARE








આમ આદમી પાર્ટીના મોરબી પાલિકાના ઈનચાર્જ તરીકે વસંતભાઈ ગોરીયાની વરણી
મોરબી આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા ઈનચાર્જ તરીકે વસંતભાઈ કાનજીભાઈ ગોરીયાની વરણી કરવામાં આવેલ છે. આગામી સમયમાં મોરબી પાલિકા કે મહાપાલિકાની ચૂંટણી આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે મોરબીનું હિત કરવા માટે સારા ઉમેદવારોને ચૂંટણીના જંગમાં ઉતારવાની તૈયારીઓ હાલમાં આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવેલ છે અને આમ આદમી પાર્ટી દ્વારા મોરબી નગરપાલિકાના ઈનચાર્જ તરીકે વસંતભાઈ ગોરીયાની વરણી કરવામાં આવેલ છે.

