મોરબીમાં આજે અષાઢી બીજે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાઇ: રબારી-ભરવાડ સમાજના લોકો દ્વારા રસ ગરબા-હુડા રસની જમાવટ મોરબી: વતનથી આવેલ ભાઈને લઈને વાડીએ જઈ રહેલા ભાઇનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, કુહાડી, ધારિયા વડે થયેલ સામસામી મારામારીમાં હવે બંને પક્ષેથી નોંધાઇ ફરિયાદ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને અંતિમ પગલુ ભર્યાના બનાવમાં વધુ બે આરોપી ઝડપાયા: બંને જેલ હવાલે મોરબી: ટાઇલ્સ ટ્રેડિંગ પેઢીના સંચાલકે કર્મચારીની જાણ બહાર નામ-ખોટી સહિ કરીને બેન્ક એકાઉન્ટ ખોલાવી કર્યા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર વાંકાનેરમાં ઇજાગ્રસ્ત દિયરની ખબર પૂછવા આવેલ ભાભી-ભત્રીજી ઉપર પાડોશી શખ્સે કર્યો પાઇપ વડે હુમલો મોરબીના લાલપર પાસે ડિવાઇડર કૂદીને ઇકો ગાડી સર્વિસ રોડ ઉપર બાઈક સાથે અથડાતાં આધેડને પેટની હોજરી અને પગમાં ગંભીર ઇજા મોરબીના બેલા ગામ પાસેથી દારૂના 22 પાઉચ સાથે એક શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીથી ઉત્તરાખંડની ટ્રેન શરૂ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પીએમને રજૂઆત


SHARE















મોરબીથી ઉત્તરાખંડની ટ્રેન શરૂ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પીએમને રજૂઆત

મોરબીથી ઘણા લોકો દેવદર્શન માટે ઉત્તરાખંડ જાય છે ત્યારે આ મુસાફરોની સુવિધામાં વધારો થાય તે માટે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા વડાપ્રધાનને ઉત્તરાખંડ સુધીની ટ્રેન શરૂ કરવા માટેની લેખિત રજૂઆત કરવામાં આવી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિતમાં રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લો દેશભરમાં સિરામિક ઉદ્યોગના કારણે જાણીતો છે. અને અહીની ટાઈલ્સ વિશ્વના ખુણે ખુણે જાય છે. પરંતુ અફસોસની વાતએ છે કે મોરબીને લાંબા અંતરની એક પણ ટ્રેન મળી નથી. ત્યારે આ જીલ્લાના મધ્યવર્ગના લોકો પણ જીવનમાં ચારધામની યાત્રા કરી શકે તે માટે ટ્રેનની સુવિધા આપવામાં આવે તે જરૂરી છે પરંતુ ટ્રેનની સુવિધા ન હોવાથી લોકો ચારધામની યાત્રા કરી શકતા નથી. જેથી કરીને મોરબીથી ઉત્તરાખંડની સુધી અઠવાડિયામાં ત્રણ ટ્રેનની સુવિધા મળે તો મોરબી સહિત સૌરાષ્ટ્રના લોકોને ચારધામની યાત્રાનો લાભ મળી શકે છે. માટે મોરબીથી ઉત્તરાખંડ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની માંગ કરી છે.






Latest News