મોરબીમાં આજે અષાઢી બીજે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાઇ: રબારી-ભરવાડ સમાજના લોકો દ્વારા રસ ગરબા-હુડા રસની જમાવટ મોરબી: વતનથી આવેલ ભાઈને લઈને વાડીએ જઈ રહેલા ભાઇનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, કુહાડી, ધારિયા વડે થયેલ સામસામી મારામારીમાં હવે બંને પક્ષેથી નોંધાઇ ફરિયાદ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને અંતિમ પગલુ ભર્યાના બનાવમાં વધુ બે આરોપી ઝડપાયા: બંને જેલ હવાલે મોરબી: ટાઇલ્સ ટ્રેડિંગ પેઢીના સંચાલકે કર્મચારીની જાણ બહાર નામ-ખોટી સહિ કરીને બેન્ક એકાઉન્ટ ખોલાવી કર્યા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર વાંકાનેરમાં ઇજાગ્રસ્ત દિયરની ખબર પૂછવા આવેલ ભાભી-ભત્રીજી ઉપર પાડોશી શખ્સે કર્યો પાઇપ વડે હુમલો મોરબીના લાલપર પાસે ડિવાઇડર કૂદીને ઇકો ગાડી સર્વિસ રોડ ઉપર બાઈક સાથે અથડાતાં આધેડને પેટની હોજરી અને પગમાં ગંભીર ઇજા મોરબીના બેલા ગામ પાસેથી દારૂના 22 પાઉચ સાથે એક શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે નકલંક મંદિરે નૂતન વર્ષ નિમિતે અન્નકૂટ-સંતવાણીનું આયોજન: શનાળાના ઉમિયાનગરમાં આજે નવરંગો માંડવો યોજાશે


SHARE















મોરબીના બગથળા ગામે નકલંક મંદિરે નૂતન વર્ષ નિમિતે અન્નકૂટ-સંતવાણીનું આયોજન: શનાળાના ઉમિયાનગરમાં આજે નવરંગો માંડવો યોજાશે

મોરબીના બગથળા ગામે આવેલા નકલંક મંદિરે દર વર્ષે નૂતન વર્ષ નિમિતે અન્નકૂટ-સંતવાણીનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.2 નવેમ્બરના રોજ નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટનું આયોજન કર્યું છે. અને સવારે 9:00 વાગ્યે મહાઆરતી અને અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ 9:30 થી બગથળાની પટેલ સમાજ વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અને રાત્રે 10 વાગ્યે સંતવાણી રાખવામા આવેલ છે જેમાં ભજનીક નારાયણ ઠાકર, હર્ષદ પટેલ અને લોકસાહિત્યકાર માનસૂર ગઢવી જમાવટ કરશે જેથી કરીને આ કાર્યક્રમનો સર્વે ભક્તોને લાભ લેવા માટે મંદિરના મહંત દમજી ભગતે આમંત્રણ પાઠવાયું છે.

નવરંગો માંડવો યોજાશે

મોરબીના શક્ત શનાળાના ઉમિયાનગર સોસાયટી ખાતે આજે તા. 25 ઓક્ટોબરને શુક્રવારે રંગીલા મામાદેવનો નવરંગો માંડવો રાખવામા આવેલ છે. ત્યારે આજે સવારે 9 કલાકે મામાદેવનું મહાપૂજન, સાંજે 6 કલાકે મહાપ્રસાદ, રાત્રે 9 કલાકે ડાક ડમરુનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં કલમના ભુવા ઉપેન્દ્રસિંહ પરમાર અને ચાંદલીયા વાળા મામાદેવના ભુવા યુવરાજસિંહ રાઠોડ હાજરી આપશે. આ રંગીલા મામાદેવના નવરંગા માંડવામાં પધારવા માટે પ્રવિણભાઈ માંડણભાઈ બારોટે સૌને આમંત્રણ પાઠવ્યું છે  






Latest News