મોરબી જિલ્લાના ધો. ૫ ના બાળકોને જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસની સુવર્ણ તક મોરબી: વીરનગરની શાળામાં ડીડીઓના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીની માધાપરવાડી શાળામાં ધારાસભ્ય-કમિશ્નરની હાજરીમાં શાળા પ્રવેશશોત્સવ યોજાયો મોરબીમાં આજે અષાઢી બીજે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાઇ: રબારી-ભરવાડ સમાજના લોકો દ્વારા રસ ગરબા-હુડા રસની જમાવટ મોરબી: વતનથી આવેલ ભાઈને લઈને વાડીએ જઈ રહેલા ભાઇનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, કુહાડી, ધારિયા વડે થયેલ સામસામી મારામારીમાં હવે બંને પક્ષેથી નોંધાઇ ફરિયાદ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને અંતિમ પગલુ ભર્યાના બનાવમાં વધુ બે આરોપી ઝડપાયા: બંને જેલ હવાલે મોરબી: ટાઇલ્સ ટ્રેડિંગ પેઢીના સંચાલકે કર્મચારીની જાણ બહાર નામ-ખોટી સહિ કરીને બેન્ક એકાઉન્ટ ખોલાવી કર્યા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર
Breaking news
Morbi Today

મોરબી કડવા પાટીદાર શૈક્ષણિક સંસ્થા-ટ્રસ્ટી ઉપર મહિલા પ્રોફેસરના ગંભીર આક્ષેપ: સંપૂર્ણ કાર્યવાહી નિયમાનુસાર કરેલ છે ટ્રસ્ટીનો ખુલાસો


SHARE















મોરબી કડવા પાટીદાર શૈક્ષણિક સંસ્થા-ટ્રસ્ટી ઉપર મહિલા પ્રોફેસરના ગંભીર આક્ષેપ: સંપૂર્ણ કાર્યવાહી નિયમાનુસાર કરેલ છે ટ્રસ્ટીનો ખુલાસો

મોરબીમાં શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત ઘણી કોલેજ આવેલ છે તે પૈકીની શ્રીમતી આર.ઓ. પટેલ વિમેન્સ કોલેજમાંથી તાજેતરમાં મહિલા પ્રેફેસરને કાઢી નાખવામાં આવેલ છે ત્યારે આ મહિલા પ્રોફેસરે સંસ્થા અને તેના ટ્રસ્ટી સામે ગંભીર આક્ષેપ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે જો કે, ટ્રસ્ટીએ તમામ આક્ષેપો ખોટા હોવાનું કહીને નિયમાનુસાર જ કાર્યવાહી કરવામાં આવી હોવાનો ખુલાસો કરેલ છે.

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાધેકૃષ્ણ સોસાયટીમાં રહેતા દશાડિયા ધર્મિષ્ઠા એચ.એ હાલમાં કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે અને જણાવ્યુ છે કે, તે મોરબીમાં શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર.ઓ. પટેલ વિમેન્સ કોલેજમાં વર્ષ 2013 થી ઈંગ્લીસ વિષયમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા અને ગત જાન્યુઆરી મહિનામાં આ સંસ્થાના બી.એડ. કોલેજના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા કમલેશ ભોરણીયાએ મહિલા અધ્યાપકની છેડતી કરી હતી. જે અંગેની તેને ટ્રસ્ટીઓ બેચરભાઈ હોથી અને ગોપાલભાઈ ફેફરને જાણ કરી હતી. અને જરૂરી પુરાવા પણ આપેલ હતા તો પણ પ્રિન્સિપાલ સામે કોઈ કાર્યવાહી કરેલ નથી અને તેઓને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી હતી ત્યાર બાદ ગત જૂન મહિનામાં તે નોકરીએ ગયા હતા ત્યારે તેઓને ટ્રસ્ટીઓને મળવાનું કહેવામા આવ્યું હતું અને બાદમાં તેને અપમાન જનક શબ્દો કહીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલ છે. જેથી સંસ્થા અને ટ્રસ્ટી ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવે છે ત્યારે આ બાબતે ટ્રસ્ટી સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું બધુ જ નિયમાનુસાર થયેલ છે અને મહિલા પ્રોફેસરના કામથી સંતોષ ન હતો જેથી તપાસ માટે બનાવવામાં આવેલ કમિટીના આખરી નિર્ણય પછી તેને નોકરીમાંથી કાઢવામાં આવેલ છે.






Latest News