મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગર, રવાપર નદી, ભક્તિનગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ખેડૂતોના નુકસાનનું વળતર માટેના ફોર્મ ભરવાના સમયના વધારો કરવાની માંગ


SHARE















મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ખેડૂતોના નુકસાનનું વળતર માટેના ફોર્મ ભરવાના સમયના વધારો કરવાની માંગ

ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર માહિનામાં પહેલા વરસાદના લીધે ખેતીના પાકમાં નુકસાન થયેલ છે અને આ નુકશાન સામે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જો કે, તેના માટે જરૂરી અરજી કરવા માટેની મુદત આગામી 31 મી તારીખ સુધીની આપવામાં આવેલ છે જેથી આ મુદતમાં વધારો કરવામાં આવે તેવી માંગ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કૃષિમંત્રી સમક્ષ કરવામાં આવેલ છે.

હાલમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે. તેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદના લીધે ખેડૂતોને નુકશાન થયેલ છે અને નુકસાનીનું વળતર મેળવવા ખેડૂતોએ ફોર્મ ભરવા છે અને તે ફોર્મ ભરવા માટેનું કામ તા 25 થી શરૂ કરવામાં આવેલ છે અને તા 31 સુધીમાં ખેડૂતોએ અરજી કરી દેવાની છે જો કે, દિવાળીનો તહેવાર હોય, સરકારી સાઈટોમાં વધુ લોડ પડવાના કારણે ફોર્મ ભરવામાં તકલીફ થાય તેવી શક્યતા છે જેથી કરીને ખેડૂતોના ફોર્મ ભરવા માટેની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે અને 15 દિવસ સુધી ખેડૂતોને ફોર્મ ભરવાની મુદત આપવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News