જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં વીજ ચેકિંગમાં ગયેલા કર્મચારી ઉપર હુમલો કરવાના ગુના પકડાયેલા બંને આરોપીના જામીન મંજૂર


SHARE













માળીયા (મી)માં વીજ ચેકિંગમાં ગયેલા કર્મચારી ઉપર હુમલો કરવાના ગુના પકડાયેલા બંને આરોપીના જામીન મંજૂર

માળીયા (મી)માં જનરલ સ્ટોર નામની દુકાનમાં વીજ ચેકિંગ માટે ગયેલા કર્મચારીને માર મારવામાં આવ્યો હતો અને તેની ફરજમાં રૂકાવટ કરવામાં આવી હતી જેથી વીજ કર્મચારી દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે બે શખ્સોની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરીને તે બંને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા ત્યાર બાદ વકીલ મારફતે બંને આરોપીના જામીન માટેની અરજી કોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલ અને હાઇકોર્ટના ચુકાદાને ધ્યાને રાખીને બંને આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે

આ કેસની વિગત ઉપર નજર કરીએ તો મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્કમાં રહેતા મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને વીજ કંપનીમાં ફરજ બજાવતા અલ્પેશભાઈ સવજીભાઈ ડામોર (40)એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નવાબ ઈસુબભાઈ જેડા રહે જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તાર માળિયા અને ફૈજાન મુરાદભાઈ જામ રહે. મૂળ કાજરડા હાલ રહે માળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, ફરિયાદી તથા અન્ય કર્મચારીઓ ઉપરી અધિકારીની મૌખિક સૂચનાથી માળીયા મીયાણા જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તારમાં વીજ ચેકિંગ કરવા માટે ગયા હતા ત્યારે રેલવે ફાટક ની અંદર આવેલ જનરલ સ્ટોર નામની દુકાનમાં નવાબ જેડા તથા ફૈજાન જામ હાજર હતા અને દુકાનમાં વીજ વપરાશ માટે મીટર છે કે કેમ ? તેમ પૂછતા નવાબ જેડા ઉસકેરાઈ ગયો હતો અને તેને પ્લાસ્ટિકના પાઇપ વડે વીજ કર્મચારી ને ખભા અને ડાબા હાથ ઉપર માર મારીને ઇજા કરી હતી તેમજ ફૈજાન જામે ફરિયાદી અને અન્ય વીજ કર્મચારીઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે ગુનામાં માળીયા મીયાણા તાલુકા પોલીસ દ્વારા બંને આરોપીઓને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ હતા અને ત્યાર બાદ આ આરોપીના વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફતે કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી અને આરોપીના વકીલ મનીષભાઈ ઓઝા દ્વારા કરવામાં આવેલ દલીલ તથા હાઇકોર્ટના ચુકાદાને ધ્યાને રાખીને સેશન્સ જજ કે.આર.પંડ્યા સાહેબ દ્વારા બંને આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે આ કેસમાં આરોપી તરફે મનીષભાઈ ઓઝા તથા મેનાઝબેન પરમાર રોકાયેલા હતા






Latest News