મોરબીના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ડો. સતિષ પટેલનું પુસ્તક શાળાઓમાં અર્પણ
મોરબીના ઉમા ટાઉનશીપમાં ચિખલીયા પરિવાર દ્વારા ભાગવત કથાનું આયોજન
SHARE








મોરબીના ઉમા ટાઉનશીપમાં ચિખલીયા પરિવાર દ્વારા ભાગવત કથાનું આયોજન
મોરબીના ઉમા ટાઉનશીપ ખાતે ભવ્ય ભાગવત કથાનું અયોજન કરવામાં આવ્યું છે અને સ્વ. છગનભાઈ ચિખલીયા અને સ્વ. શાંતાબેન ચિખલીયા તેમજ સમગ્ર પિતૃઓના આત્માના કલ્યાણ અર્થે ભવ્ય ભાગવત કથા યોજાવાની છે.
આ કથા આગામી તા 4-11 થી શરૂ કરવામાં આવશે અને તા. 10-11 ના રોજ તેની પૂર્ણહુતિ થશે. અને આ કથામાં વ્યાસપીઠ પર પ્રખર વક્તા સંત રત્નેશ્વરીદેવી ગુરૂ મહંત ભાવેશ્વરીમાં રામધન આશ્રમ દ્વારા તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવવામાં આવશે. આ કથાનો સમય બપોર 2:00 થી સાંજે 6:00 સુધી રાખવામા આવેલ છે અને કથામાં સંતો મહંતો, રાજકીય અને સામાજીક અગ્રણીઓ સહિતના આવશે જેથી ભાવેશભાઈ ચિખલીયા, બીપીનભાઈ ચિખલીયા તેમજ ચિખલીયા પરિવાર દ્વારા લોકોને કથાનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવેલ છે તેવુ મુકેશ ભગતે જણાવ્યુ છે.

