મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ખેડૂતોને પણ સહકારી બેંક આપશે વ્યાજ વગરની લોન: ખેડૂતો ખુશખુશાલ


SHARE













મોરબી જિલ્લાના ખેડૂતોને પણ સહકારી બેંક આપશે વ્યાજ વગરની લોન: ખેડૂતો ખુશખુશાલ

મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે વરસાદના લીધે ખેડૂતોને મોટું નુકશાન થયેલ છે અને સરકારી સહાયની રાહ જોઈને ખેડૂતો બેઠા છે તેવા સમયે રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા રાજકોટ અને મોરબીના ખેડૂતોને લોન આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે જેથી કરીને મોરબી જિલ્લાના ખેડૂતોમાં હર્ષની લાગણી છે

રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતો માટે સહકારી બેંક દ્રારા ૧ હજાર કરોડ લોન સહાયની જાહેરાત કરવામાં આવી છે અને આ લોન ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ૧ વર્ષ માટે આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. જેથી કરીને આ બંને જિલ્લાના ખેડૂતોને વધારેમાં વધારે ૫૦ હજાર રૂપિયાની લોન મળશે. ત્યારે ચાલુ વર્ષે વધુ વરસાદના લીધે ખેડૂતોને મોટું નુકશાન થયેલ  છે તેવાં સમયે બેન્કના 2 લાખથી વધુ સભા સદોને મદદરૂપ થવાની ભાવના સાથે જયેશભાઇ રાદડિયા દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેને મોરબી જિલ્લાના ખેડૂતોએ આવકારી છે અને ખેડૂતો માટે આશીર્વાદ સમાન ગણાવી છે. ખાસ કરીને આ લોન લેવા માટે ખેડૂતોએ કોઇ જ પ્રકારની જામીન આપવાની રહેશે નહિ અને ખેડૂતોને ઝીરો ટકાથી લોન આપવાની છે જેથી ખેડૂતોને ફાયદો થશે.






Latest News