અજરામર સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય પરમ પૂજય ભાવચંદ્ર મુનિ મહારાજ સાહેબ મોરબી પધાર્યા હળવદના રાણેકપર ગામનો બનાવ: વાડીએ મજૂરને લાફા ઝીકિને ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આર્યગ્રામ સોસાયટીમાંથી રસ્તો નીકળતો હોવા છતાં સનાતન ગ્રામ સોસાયટીના લોકોને જવા દેવાની ના કહેતા બખેડો મોરબીમાં મકાન અને દુકાનમાં જુદીજુદી જગ્યાએ આગ લાગતાં ફાયરની ટિમ દોડતી વાંકાનેર: આંણદપર-નવાગામ ખાતે 4.50 કરોડનાં ખર્ચે માઇનોર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરતાં  ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીમાં નજીવી વાતમાં વેપારી અને તેના ભાઈ ઉપર હુમલો, શોરૂમમાં રાખેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખ્યું: પિસ્તોલ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વ્યાજે લીધેલ 65 હજાર સામે 50 હજાર વ્યાજ આપ્યું તો પણ વ્યાજ-મુદલની પઠાણી ઉઘરાણી: બે સામે ફરિયાદ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ રોણકી ગામે 21 કરોડનાં ખર્ચે બનનારા પાણીના સંપ- પાઈપલાઈનના કામનું કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

ટંકારાના લજાઇ ગામે અગાઉ કરેલ ફરીયાદમાં સમાધાન કરવા ફોન કરીને યુવાનને ગાળો આપાને મારી નાખવાની ધમકી


SHARE













ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા યુવાન તથા તેના ભત્રીજાઓએ અગાઉ કરેલ ફરિયાદમાં સમાધાન કરી લેવા બાબતે ફોન ઉપર બોલાચાલી કરીને ગાળો આપી હતી તથા ફરિયાદી અને તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા અમૃતભાઈ આલાભાઇ ચાવડા (36)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મિલન પોપટભાઈ જાદવ રહે. મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તે પોતાના ઘરે હતા ત્યારે અગાઉ ફરિયાદી તેમજ તેના ભત્રીજા રાહુલ અને રોહિત વિરુદ્ધ સામે વાળાનીમાસીની દીકરીએ ફરિયાદ કરેલ હોય જે બાબતે સમાધાન કરવા ફરિયાદી યુવાનના મોબાઈલ ફોન ઉપર ફોન કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ફરિયાદી તથા તેના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News