મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
SHARE
મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી માટે પધારેલા લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ભાવચંદ્રજી મહારાજ સાહેબની નિશ્રામાં દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હોઈ તેમના આગામી કાર્યક્રમ મુજબ ચૈત્રી નવરાત્રિ શક્તિ સાધનાના શુભ દિવસે શ્રી નવકાર- ઊવસગ્ગહર જાપ તા.20/03 શુક્રવાર સવારે 7.30 થી 9.00 વ્યાખ્યાન તથા જાપ કરાવવામાં આવશે.
ધર્મ વત્સલા તરૂબેન નવીનભાઈ દોશીના આરોગ્ય માટે મોરબીના તમામ જૈન સંઘોના જાપ - સ્થાનકવાસી જૈન સંઘ સોની બજાર ઉપાશ્રય ખાતે રાખેલ છે. તથા તા. 21/3 શનિવાર સવારે 7:30 થી 8:30 વ્યાખ્યાન એમ.પી. શેઠ પ્લોટ પૌષધશાળામાં રાખેલ છે. અને તા. 22.3 થી નિયમિત વ્યાખ્યાન સમય સવારે 7:30 થી 8:30 સોનીબજાર ઉપાશ્રયમાં રહેશે. દરેક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાંમાં હાજર રહી ધર્મ લાભ લેશો. તથા આચાર્ય ભગવંત પૂજય ભાવચંદ્ર મુનિ મહારાજ, પૂજય વિવેક મુનિ મહારાજ, પૂજ્ય ચેતન મુનિ મહારાજ આદિ સાધુ સાધ્વીજીઓના દર્શન, આશિર્વચનનો લાભ લેશો. તેમજ તા. 24 થી શરૂ થતી શાશ્વતી આયંબિલ ઓળીમાં રેકોર્ડ બ્રેક સંખ્યામાં તપ કરી આત્મા સાથે શરીર ની આરોગ્ય શુદ્ધિ પણ કરવા નામ નોંધાવવા જણાવેલ છે. જૈન ધર્મમાં એક આયંબિલ કરવાનું પણ પુણ્ય ઘણું બધું થાય છે એમ સમજાવ્યું છે. આયંબિલ ઓળીના પાસ દરેક સંઘની ઓફિસમાંથી મળી શકશે. તેમ એક યાદી માં જણાવેલ છે.









