ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન


SHARE











મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી માટે પધારેલા લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ભાવચંદ્રજી મહારાજ સાહેબની નિશ્રામાં  દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હોઈ તેમના આગામી કાર્યક્રમ મુજબ ચૈત્રી નવરાત્રિ શક્તિ સાધનાના શુભ દિવસે શ્રી નવકાર- ઊવસગ્ગહર જાપ તા.20/03 શુક્રવાર સવારે 7.30 થી 9.00 વ્યાખ્યાન તથા જાપ કરાવવામાં આવશે.

ધર્મ વત્સલા તરૂબેન નવીનભાઈ દોશીના આરોગ્ય માટે મોરબીના તમામ જૈન સંઘોના જાપ - સ્થાનકવાસી જૈન સંઘ સોની બજાર ઉપાશ્રય ખાતે રાખેલ છે. તથા તા. 21/3 શનિવાર સવારે 7:30 થી 8:30 વ્યાખ્યાન  એમ.પી. શેઠ પ્લોટ પૌષધશાળામાં રાખેલ છે. અને તા. 22.3 થી નિયમિત વ્યાખ્યાન સમય સવારે 7:30 થી 8:30 સોનીબજાર ઉપાશ્રયમાં રહેશે. દરેક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાંમાં હાજર રહી ધર્મ લાભ લેશો. તથા આચાર્ય ભગવંત પૂજય ભાવચંદ્ર મુનિ મહારાજ, પૂજય વિવેક મુનિ મહારાજ, પૂજ્ય ચેતન મુનિ મહારાજ આદિ સાધુ સાધ્વીજીઓના દર્શન, આશિર્વચનનો લાભ લેશો. તેમજ તા. 24 થી શરૂ થતી શાશ્વતી આયંબિલ ઓળીમાં રેકોર્ડ બ્રેક સંખ્યામાં તપ કરી આત્મા સાથે શરીર ની આરોગ્ય શુદ્ધિ પણ કરવા નામ નોંધાવવા જણાવેલ છે. જૈન ધર્મમાં એક આયંબિલ  કરવાનું પણ પુણ્ય ઘણું બધું થાય છે એમ સમજાવ્યું છે. આયંબિલ ઓળીના પાસ દરેક સંઘની ઓફિસમાંથી મળી શકશે. તેમ  એક યાદી માં જણાવેલ છે.






Latest News