મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત મોરબીમાં સિરામિકના કારખાના બંધ હોય એસપી મુકેશ પટેલે ઉદ્યોગકારોને કર્યા મહત્વપૂર્ણ સૂચનો મોરબીમાં પાણીથી શેરી ધોતી મહિલાને પાડોશી મહિલા સહિત ત્રણ લોકોએ માથાકૂટ કરીને માર માર્યો ટંકારામાં પડતર જીનમાંથી 144 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

હળવદના મિયાણી ગામ પાસે ભૂંડ પકડવા બાબતે માથાકૂટમાં તલવાર વડે હુમલો: હવે સામસામી ફરિયાદ


SHARE













હળવદના મિયાણી ગામ પાસે ભૂંડ પકડવા બાબતે માથાકૂટમાં તલવાર વડે હુમલો: હવે સામસામી ફરિયાદ

હળવદના મિયાણી ગામ પાસે ભૂંડ પકડવા બાબતે શરૂ થયેલ બોલાચાલીમાં તલવાર વડે માર મારી કરવામાં આવી હતી જેથી કરીને ઇજા પામેલા બંને પક્ષના લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર બાદ બંને પક્ષેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.

વાંકાનેરના આર.કે. નગર નવાપરામાં રામ મંદિર પાછળના ભાગમાં રહેતા નારણસિંધ જરનેલસિંધ બગ્ગા (23)હાલમાં કિર્તીનસિંધે અને બલદેવસિંધે રહે. બંને ધ્રાગધ્રા તેમજ પ્યારાસિંઘ હરમિન્દરસિંધ રહે. બંને હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદના મિયાણી ગામ પાસે ફરિયાદી તથા જશવીરસિંધ અને ગુરુમુખસિંગ ભૂંડ પકડવા માટે થઈને ગયા હતા ત્યારે આરોપી કિર્તીનસિંધે ફરિયાદી તથા સાહેદોને અમારા વિસ્તારમાં તમે કેમ ભૂંડ પકડવા માટે આવો છો તેવું કહ્યું હતું અને બોલાચાલી કરી હતી ત્યારબાદ ફરિયાદીને કપાળના ભાગે કિર્તીનસિંધે તલવાર વડે માર મારીને ઇજા કરી હતી જ્યારે જશવીરસિંધને બલદેવસિંધે કપાળના ભાગે તલવાર મારીને ઇજા કરી હતી તો ગુરુમુખસિંને પ્યારસિંઘે લાકડાના ધોકા વડે માર મારીને ઈજા કરી હતી અને ફરિયાદીને હરમીન્દરસિંઘએ કપામાં માર મારીને મુંઢ ઇજાઓ કરી હતી તેમજ ફરિયાદી અને સાહેજસવીરસિંને કપાળના ભાગે તલવાર વડે માર મારીને ઇજા કરી હતી જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે

આ બનાવમાં સામાપક્ષેથી હળવદના ટીકર રોડ ઉપર આવેલ ગંગાનગરમાં રહેતા હરમીન્દરસિંઘ પ્યારસિંઘ ટાંક (27)એ જશબિરસિંધ, ગુરમુખસિંધ ચિમનસિંધ, નારણસિંધ, જગજીતસિંધ, મહેન્દ્રસિંધ, મનિન્દ્રસિંધ અને ઓમકારસિંધ રહે. બધા વાંકાનેર અને હરિસિંધ રહે. ખંભાત વાળાની સામે ફરિયાદ કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તથા સાહેદો મિયાણી ખાતે કામ અર્થે ગયા હતા ત્યારે આરોપીઓએ ત્યાં આવીને ફરિયાદી અને સાહેને જોગિન્દર સામે કરેલ કેસ પાછો ખેંચી લો નહીંતર જાનથી મારી નાખવા પડશે તેવી ફરિયાદી તથા સાહેદને ધમકી આપી હતી ત્યારે ફરિયાદ અને સાહેદોએ કેસ પાછો ખેંચવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી તથા સાહેને ગાળો આપવા લાગ્યા હતા અને ત્યારે સાહેને ગુરમુખસિંઘને ઢીકાપાટુનો મારમાર્યો હતો ત્યારબાદ બીજી ગાડીમાં અન્ય ચાર આરોપીઓ આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેદોને કેસ પાછો ખેંચવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરિયાદી અને સાહેને ગાળો આપતા હતા જેથી ગાળો આપવાની ના પાડતા આરોપીઓએ ફરિયાદી તથા જોગીન્દ્રસિંહને ઢીકાપાટુનો મારમારીને જા કરી હતી જેથી હાલમાં યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News