મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત
SHARE
મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત
મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી સુધીના રસ્તામાં મેટલ તથા ધૂળ આવી ગયેલ છે જેથી ઘણી વખત વાહનો સ્લીપ થઈ જાય છે અને લોકોના જીવ પણ જાય છે જેથી વહેલી તકે રોડ સાઈડની ધૂળને ઉપડવામાં આવે તેવી મોરબી જિલ્લા યુવા કોંગ્રેસના પૂર્વપ્રમુખ દ્વારા કમિશનરને રજૂઆત કરવામાં આવેલ છે.
મોરબી જિલ્લા યુવા કોંગ્રેસના પૂર્વપ્રમુખ અલ્પેશ કોઠીયાએ કમિશ્નરને રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, દલવાડી સર્કલથી જતા ડાબી સાઈડમાં રોડ ઉપર ધૂળ તથા જીણી મેટલ આવી જતા ઈન્દ્રપ્રસ્થ સોસાયટીની બહાર નીકળતા ૧૦ દિવસ પહેલા આ માટીના કારણે એક બાઈક સવાર બહાર નીકળવાની સાથે જ વાહન સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો અને તેને જીવ ગુમાવેલ છે તેમજ કામધેનુની સામે આવેલ GJ-5 ઢોસાની બાજુમાં એક મહિના પહેલા એક છોકરી કોલેજ જતા સમતે તેનું સ્કૂટર સ્લીપ થઈ ગયું હતું તેને પણ જીવ ગુમાવેલ તથા GJ-5 ઢોસાની આગળની સાઈડ આવતા એક યુવાનનું વાહન લપસી જતા તેનો પણ અકસ્માત થયો હતો અને શક્તિ હોટલ ક્રિષ્ના પાનની બાજુમાં પણ અકસ્માત થયો હતો જેથી ધૂળ તથા મેટલ રોડ ઉપરથી દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે.









