મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલાશે: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નાના બાળકોના ફટાકડા ફોડવા સાથેની રમતમા મોટી ગેરસમજ થતી અટકાવતી પોલીસ


SHARE







વાંકાનેરમાં નાના બાળકોના ફટાકડા ફોડવા સાથેની રમતમા મોટી ગેરસમજ થતી અટકાવતી પોલીસ

મોરબી જીલ્લામાં દિવાળી પર્વ પર કોઈ અનિચ્છનિય બનાવ ન બને તહેવાર શાંતિપુર્વક ભાઈચારાથી ઉજવાઈ થાય તે માટે કડક પોલીસ બંદોબસ્ત રાખવા માટે એસપીની સૂચના હતી અને વાંકાનેરના પીઆઇ એચ.વી.ઘેલા તેમજ સ્ટાફના માણસો દિવાળી તહેવાર સમયે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમિયાન પંચાસર ગામમાં બપોરના દોઢેક વાગ્યાના સમયમા ત્રણ છોકરાવ બાઈકમાં જતા હતા અને મસ્જિદમા નાનો ફટાકડો ફેંકતો હોય તેવો વીડીયો વાયરલ થયેલ હતો જેથી કરીને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે સારૂ તાત્કાલિક વીડીયોમા ફટાકડા ફોડતા છોકરાવની શોધખોળ શરૂ કરી હતી અને તેને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા.

ત્યાર બાદ પંચાસર ગામના આગેવાન તથા સરપંચ મહેબુબભાઈ અમીભાઈ ભોરણીયા તથા મુસ્લિમ સમાજના આગેવાનો મહમદભાઈ અમીભાઈ કડીવાર, નુરમામદભાઈ ભોરણીયા, ઉસ્માનભાઈ ભોરણીયા, રસુલભાઈ અહમદભાઈ શેરસીયા, યાકુબભાઈ શેરસીયા, નુરમામદભાઈ ભોરણીયાનાઓની આગેવાનીમાં આ કાયદાના સંઘર્ષમા આવેલ ત્રણ કિશોરોએ માફી  માંગેલ હતી અને કહેલ કે તેઓ સાવ નાના નાના ફટાકડા જ્યાં જ્યાં ખુલ્લા દરવાજા દેખાઈ ત્યાં મસ્તીમા ફેંકતા હતા. અને કોઈને હેરાન પરેશાન કરવા માટે ફટાકડા ફેંકેલ નથી. અને ત્યારે પંચાસર ગામમાં આવેલ મસ્જિદમા દરવાજો ખુલ્લો હોય તેમા ભુલથી ફટાકડો ફેંકી દીધેલ હતો. જેથી તેઓએ પંચાસર ગામના મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં માફી માંગી હતી. આમ બાળકોની રમતમાં થનારી મોટી ગેરસમજ ઉપર પોલીસે પુર્ણ વિરામ મુકેલ છે તેમજ હીંન્દુ-મુસ્લીમના તમામ આગેવાનોએ દિવાળીનો તહેવાર કોમી એખલાશ ભર્યા વાતાવરણમા ઉજવણી કરી હતી.






Latest News