મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રસ્તા ઉપર ચાલવા બાબતે મજુર સાથે માથાકુટ: વચ્ચે પડેલા યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE













વાંકાનેર શહેરમાં જીનપરા વિસ્તારમાં આવેલ રામજી મંદિર પાસે રસ્તા ઉપર ચાલવા બાબતે મજૂર સાથે માથાકૂટ કરી તેને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ફરિયાદી અને સાહેદ વચ્ચે પડતા તેઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છરી વડે હુમલો કર્યો હતો ત્યારે યુવાનને હાથની હથેળીમાં ઇજા થઈ હતી જેથી હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરના જીનપરા જૂના ચંદ્રપુર રોડ ઉપર કબીર પાર્ટી પ્લોટની સામેના ભાગમાં રહેતા જીતેશભાઈ વાલજીભાઈ ધરજીયા (37)એ હાલમાં રફિકભાઈ જુમાભાઇ રહે. વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, જીનપરમાં આવેલ રામજી મંદિર પાસેથી તેના મજૂર જયેશભાઈ જતા હતા ત્યારે રસ્તામાં ચાલવા બાબતે આરોપીએ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારે ફરિયાદી અને સાહેદ વચ્ચે પડતા તેઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છરી વડે હુમલો કરવા જતા ફરિયાદીએ છરી પકડતા તેને હાથની હથેળીમાં ઈજા થઈ હતી જેથી આ બનાવ સંદર્ભે સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News