મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

બ્રહ્મ સમાજના ઉત્થાન માટે સારી જગ્યા-સારા હોદા ઉપર મારો નહી પણ સારો હોય તેને તક આપો: મોરબીના પરશુરામ ધામ ખાતે યોજાયેલ સ્નેહ મિલનમાં આગેવાનની ટકોર


SHARE







મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે ભુદેવોનું સ્નેહ મિલન યોજાયું હતુ જેમ આગેવાનોએ સમાજના ઉત્થાન માટે સારી જગ્યા અને સારા હોદા ઉપર મારો નહી પણ સારો હોય તેને તક આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે સ્નેહ મિલન યોજાયું હતુ જેમા મોટી સંખ્યામાં બ્રહબંધુઓ જોડાયા હતા આ સ્નેહ મિલનમાં પરશુરામ ધામના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા, ડો અનિલભાઈ મહેતા, રવીન્દ્રભાઈ ત્રિવેદી, હસુભાઈ પંડ્યા, પ્રશાંતભાઇ મહેતા, જગદીશભાઈ ઓઝા, ડો બી.કે.લેહરું, ડૉ રાજુભાઈ ભટ્ટ, વિનુભાઈ ભટ્ટ, આર.કે.ભટ્ટ, બિપીનભાઇ વ્યાસ, જીગ્નેશભાઇ ભટ્ટ હિમાંશુભાઇ ભટ્ટ, મુકુંદભાઈ જોશી, નીલાબેન પંડિત કલ્પનાબેન શર્મા, નીરજ ભટ્ટ, ચિંતન ભટ્ટ તમેજ બ્રહ્મ સમાજના ભાઇઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ તકે આગેવાનોએ સમાજના ઉત્થાન માટે સારી જગ્યા અને સારા હોદા ઉપર મારો નહી પણ સારો હોય તેને તક આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. અને આ કાર્યક્રમમાં ભુદેવોએ સ્વચ્છતા માટેના શપથ લિધા હતા આ કાર્યક્રમને સફળ બનવા માટે સંસ્થાના પ્રમુખ ભુપતભાઇ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News