મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

બ્રહ્મ સમાજના ઉત્થાન માટે સારી જગ્યા-સારા હોદા ઉપર મારો નહી પણ સારો હોય તેને તક આપો: મોરબીના પરશુરામ ધામ ખાતે યોજાયેલ સ્નેહ મિલનમાં આગેવાનની ટકોર


SHARE













મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે ભુદેવોનું સ્નેહ મિલન યોજાયું હતુ જેમ આગેવાનોએ સમાજના ઉત્થાન માટે સારી જગ્યા અને સારા હોદા ઉપર મારો નહી પણ સારો હોય તેને તક આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે સ્નેહ મિલન યોજાયું હતુ જેમા મોટી સંખ્યામાં બ્રહબંધુઓ જોડાયા હતા આ સ્નેહ મિલનમાં પરશુરામ ધામના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા, ડો અનિલભાઈ મહેતા, રવીન્દ્રભાઈ ત્રિવેદી, હસુભાઈ પંડ્યા, પ્રશાંતભાઇ મહેતા, જગદીશભાઈ ઓઝા, ડો બી.કે.લેહરું, ડૉ રાજુભાઈ ભટ્ટ, વિનુભાઈ ભટ્ટ, આર.કે.ભટ્ટ, બિપીનભાઇ વ્યાસ, જીગ્નેશભાઇ ભટ્ટ હિમાંશુભાઇ ભટ્ટ, મુકુંદભાઈ જોશી, નીલાબેન પંડિત કલ્પનાબેન શર્મા, નીરજ ભટ્ટ, ચિંતન ભટ્ટ તમેજ બ્રહ્મ સમાજના ભાઇઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ તકે આગેવાનોએ સમાજના ઉત્થાન માટે સારી જગ્યા અને સારા હોદા ઉપર મારો નહી પણ સારો હોય તેને તક આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. અને આ કાર્યક્રમમાં ભુદેવોએ સ્વચ્છતા માટેના શપથ લિધા હતા આ કાર્યક્રમને સફળ બનવા માટે સંસ્થાના પ્રમુખ ભુપતભાઇ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.




Latest News