મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં નીઃશુલ્ક નિદાન-સારવાર મેડિકલ કેમ્પનું આયોજન


SHARE







મોરબીમાં નીઃશુલ્ક નિદાન-સારવાર મેડિકલ કેમ્પનું આયોજન

મોરબીમાં પરિવારના મોભીની સ્મૃતિમાં નીઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં દર્દીને ચેકઅપ સાથે ત્રણ દિવસની દવા પણ આપવામાં આવશે. જેથી કરીને વધુમાં વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે.

મોરબીના ખાતે સ્વ. જયેન્દ્રભાઈ છગનભાઇ નિરંજનીની સ્મૃતિમાં તા 20/11 ના રોજ તેમના ધર્મપત્ની ગં.સ્વ. દમીયંતીબેન, પુત્ર સિદ્ધાર્થભાઈ દ્વારા અવેશ ચાનિયા એડવોકેટે યુસુફભાઈ ચાનિયા, રોહિલાપીરની દરગાહ પાસે, નકાઅદા મંદિર પાસે, મકરાણીવાસ ખાતે નીઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ડો.હસ્તીબેન મહેતાના દ્વારા દર્દીઓને તપાસી, બ્લડ સુગર ટેસ્ટ, બીપી ચેકઅપ કરી આપવા સાથે જરૂરતમંદ દર્દીઓને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવશે તેમજ જયસુખભાઇ ભાલોડિયા દ્વારા હાડકા, સાંધા તેમજ વા ના દર્દીને પોઇન્ટની વિશેષ સારવાર આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કેડો. હસ્તીબેન મહેતાનો આ 144 મો એક દિવસિય કેમ્પ થશે.






Latest News