મોરબીના ભરતનગર પાસે ડબલ સવારી બાઇકને ટ્રેલર ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા મારું વૃક્ષ, મારું ગૌરવ: હળવદના જુના અમરાપર ગામની શાળાનું નવતર અભિયાન મોરબીના ખાનપર ગામે આવેલ શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી માટેની પરીક્ષાની મોક ટેસ્ટ-૨ યોજાઇ મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો માળીયા (મી)ના નાની બરાર ગામની શાળામાં ધારાસભ્યની હાજરીમાં પ્રવેશોત્સવ યોજાયો વાંકાનેરના ભીમગુડા-માટેલ ગામે શાળામાં પ્રવેશોત્સવ યોજાયા મોરબીના ખાટકીવાસમાં ગૌરક્ષકો ઉપર કરવામાં આવેલ હુમલાના બનાવમાં હવે સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં શિવાની સિઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ સુધીના રોડ ઉપર વાહન વ્યવહાર કરાયો બંધ 


SHARE















મોરબીમાં શિવાની સિઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ સુધીના રોડ પર વાહન વ્યવહાર કરાયો બંધ 

મોરબી શહેરમાં શિવાની સીઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ (તખ્તસિંહજી રોડ) નવો બનાવવાનો હોવાથી આ રોડ પર વાહન વ્યવહારને પ્રતિબંધિત કરી આ રોડ પરના વાહન વ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

હાલમાં જે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે જેમાં જે વૈકલ્પિક વ્યવસ્થા બતાવવામાં આવી છે તેમાં ટુ વ્હીલર, ફોર વ્હીલર માટે પૂનમ કેસેટથી વિજય ટોકીઝ થઈ જુના બસ સ્ટેન્ડ થઈ મચ્છીપીઠ રોડ ઉપરથી આસ્વાદ પાનથી જડેશ્વર મંદિર રેલવે સ્ટેશન રોડ તરફ જઈ શકશે., ટુ વ્હીલર ફોર વ્હીલર માટે પૂનમ કેસેટથી વિજય ટોકીઝથી જુના બસ સ્ટેન્ડ થઈ અયોધ્યાપુરી રોડ થઈને આસ્વાદ પાન થઈ જડેશ્વર મંદિર રેલવે સ્ટેશન રોડ તરફ જઈ શકાશે., ટુ વ્હીલર ફોર વ્હીલર માટે વિજય ટોકિઝ થઈ સૌરાષ્ટ્ર હેર ડ્રેસર થઈ નવાડેલા રોડ પરથી જુના બસ સ્ટેન્ડ તરફ જઈ મચ્છીપીઠ રોડ તથા અયોધ્યાપુરી રોડ થઈને આસ્વાદ પાન તરફથી જડેશ્વર મંદિર રેલવે સ્ટેશન રોડ પર જઈ શકાશે. અને હાલમાં જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે આગામી તા 11 ડિસેમ્બર સુધી અથવા કામગીરી વહેલી પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

મોરબીમાં સંકલનની બેઠક મળશે

મોરબી જિલ્લા સંકલન અને સહ ફરિયાદ સમિતિની નવેમ્બર માસની બેઠક આગામી તા 22/11 ના રોજ યોજાનાર હતી. અનિવાર્ય કારણોસર આ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે અનુસાર જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક હવે 29/11 ના રોજ યોજાશે. અન્ય તમામ વિગતો યથાવત રહેશે તેવું નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવ્યું છે.




Latest News