મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

ખેડૂતોને અન્યાય: મોરબી જિલ્લામાં 765 કેવી વીજ લાઈનનું કામ અટકાવવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સીએમ સમક્ષ માંગ


SHARE













ખેડૂતોને અન્યાય: મોરબી જિલ્લામાં 765 કેવી વીજ લાઈનનું કામ અટકાવવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સીએમ સમક્ષ માંગ

કચ્છના લકડિયાથી વડોદરા સુધી 765 કેવીની હેવી વીજ લાઇન નાખવા માટેનું કામ ચાલી રહ્યું છે જો કે, ખેડૂતોને પૂરું વળતર આવામાં આવી રહ્યું નથી જેથી કરીને પૂરું વળતર આપવાની માંગ સાથે ખેડૂતો છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે તો પણ ખેડૂતોને ન્યાય કરવાને બદલે પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોને ડરાવી ધમકાવીને કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ કામને તાત્કાલિક ધોરણે અટકાવવાની મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા સીએમ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ સીએમને જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કેમો૨બી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખુબ જ ગંભી૨ છે. અને ડ્રગ્સદારૂકેફીપદાર્થોખનીજ ચોરીવ્યાજખોરીમર્ડર વિગેરે જેવી ઘટનાઓ રોજીંદી બની ગયેલ છે. આ જીલ્લામાં સામાન્ય જનતાથી લઈને ખેડૂતો સુધીના લોકો સાથે અન્યાય અને અત્યાચાર કરવામાં આવી રહ્યો છે અને પોલીસ તંત્ર લુખ્ખાતત્વો તથા ઉદ્યોગકારોને છાવરી રહ્યું છે. જેથી કરીને ખેડૂતોને ન્યાય માટે વલખા મારવા પડી રહ્યા છે.

મોરબી જિલ્લામાંથી સરકાર દ્વારા પાવરગ્રીડ ખાવડા 5- બી ટ્રાન્સમિશન લી. ને 765 કે.વી. લાકડીયાથી વડોદરા સુધીની ટ્રાન્સમિશન લાઈનનું કામ મંજૂર કરવામાં આવ્યું છે અને મો૨બી જિલ્લાના માળીયા તથા હળવદ તાલુકામાંથી આ લાઇન પસાર થાય છે. જેમાં ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવ્યું નથી જેથી કરીને ખેડૂતો રજૂઆત કરવા માટે જાય તો કોઈ તેને સાંભળતું નથી અને કામ રોકવા જાય તો પોલીસનો ડર બતાવવામાં આવે છે જેથી ખેડૂતોના ન્યાય માટે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા આ કામને તાત્કાલીક ધો૨ણે અટકાવવામાં આવે તેવી માંગ કરી છે અને જો આ કામ તાત્કાલીક ધો૨ણે ત્રણ દિવસમાં અટકાવવામાં નહી આવે તો નાછુટકે તા 22 ના રોજ ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

વધમાં જિલ્લા પ્રમુખે જણાવ્યુ છે કેઆ આંદોલનમાં કાર્યકારી અધ્યક્ષ લલીતભાઈ કગથરાપૂર્વ ધારાસભ્ય પી૨જાદાગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મનોજભાઈ પનારામો૨બી જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા ભુપેન્દ્રભાઈ ગોધાણીમાળીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ વિડજામોરબી માળીયા વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ સંદિપભાઈ કાલરીયાહળવદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો.રાણા તથા માળીયા તાલુકા વિરોધપક્ષના નેતા અશોકભાઈ કૈલા સહિતના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં જુદાજુદા ગામના ખેડૂતો જોડાશે. અને ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે આ કામને તૂતજ બંધ કરવા માટેનો આદેશ કરવામાં આવે તેવી માંગ કરેલ છે.




Latest News