મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદમાં અરજી પછી ખેંચી લેવા-ભૂંડ પકડવા બાબતે યુવાન સાથે ત્રણને માર માર્યો, વાહનમાં કર્યું નુકશાન


SHARE







હળવદમાં અરજી પછી ખેંચી લેવા-ભૂંડ પકડવા બાબતે યુવાન સાથે ત્રણને માર માર્યો, વાહનમાં કર્યું નુકશાન

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં થોડા સમય પહેલા ભૂંડ પકડવા બાબતે બોલાચાલી, મારામારી અને ઝઘડો થયો હતો જે બનાવો સંદર્ભે અગાઉ એક ફરિયાદ નોંધાઈ હતી અને જેમાં સામાપક્ષેથી ત્રણ શખ્સોની સામે હવે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હાલમાં ધાંગધ્રા ખાતે જનતા જીપાસે રેલ્વે સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા જોગીન્દ્રસિંહ ગુરમુખસિંહ ટાંક જાતે શીખ સરદારજી (29) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેંદ્રસિંઘ બીશનસિંઘ બગ્ગા રહે. વાકાનેર, જીતસિંઘ પ્રધાનસિંઘ ટાંક રહે. ધાંગધ્રા અને બહાદુરસિંઘ કરતારસિંઘ ભાદા રહે. ચુપણી મુળ વાકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદી તથા સાહેદો હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં ભૂંડ પકડવા માટે આવ્યા હતા ત્યારે મહેંદ્રસિંઘ બગ્ગાએ પોતાના હવાલા વાળી ગાડી ફરિયાદીની ગાડીમાં અથડાવી હતી અને તેઓના વાહનમાં નુકસાની કરી હતી ત્યારબાદ ત્રણેય આરોપીઓએ ભૂંડ પકડવા તેમજ અરજી પાછી ખેંચી લેવા બાબતે ફરિયાદી તથા ત્રિલોક અને બલદેવ સાથે બોલાચાલી, ઝઘડો કર્યો હતો અને ધોકા વડે માર્યો હતો ત્યારે ફરિયાદીને બચાવવા સાહેદો વચ્ચે પડતા તેઓને પણ ઢીકાપાટુ અને લાકડાના ધોકા વડે માર્યો હતો અને બલદેવને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ઇજા પામેલા ત્રણેય વ્યક્તિને સારવારમાં લઈ ગયા હતા ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં મારામારીના આ બનાવ સંદર્ભે વળતી ફરિયાદ લઈને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News