મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન હળવદ નજીક નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા 10 પૈકી બે યુવાન ડૂબી જતા શોધખોળ શરૂ કમોસની વરસાદ: મોરબી જિલ્લામાં ધૂળ-કોલસીની ડમરી તેમજ પતરા અને હોર્ડિંગ બોર્ડ ઉડ્યા, ખેડૂતો-અગરિયાઓને મોટું નુકસાન મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત
Breaking news
Morbi Today

હળવદમાં અરજી પછી ખેંચી લેવા-ભૂંડ પકડવા બાબતે યુવાન સાથે ત્રણને માર માર્યો, વાહનમાં કર્યું નુકશાન


SHARE













હળવદમાં અરજી પછી ખેંચી લેવા-ભૂંડ પકડવા બાબતે યુવાન સાથે ત્રણને માર માર્યો, વાહનમાં કર્યું નુકશાન

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં થોડા સમય પહેલા ભૂંડ પકડવા બાબતે બોલાચાલી, મારામારી અને ઝઘડો થયો હતો જે બનાવો સંદર્ભે અગાઉ એક ફરિયાદ નોંધાઈ હતી અને જેમાં સામાપક્ષેથી ત્રણ શખ્સોની સામે હવે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હાલમાં ધાંગધ્રા ખાતે જનતા જીપાસે રેલ્વે સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા જોગીન્દ્રસિંહ ગુરમુખસિંહ ટાંક જાતે શીખ સરદારજી (29) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેંદ્રસિંઘ બીશનસિંઘ બગ્ગા રહે. વાકાનેર, જીતસિંઘ પ્રધાનસિંઘ ટાંક રહે. ધાંગધ્રા અને બહાદુરસિંઘ કરતારસિંઘ ભાદા રહે. ચુપણી મુળ વાકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદી તથા સાહેદો હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં ભૂંડ પકડવા માટે આવ્યા હતા ત્યારે મહેંદ્રસિંઘ બગ્ગાએ પોતાના હવાલા વાળી ગાડી ફરિયાદીની ગાડીમાં અથડાવી હતી અને તેઓના વાહનમાં નુકસાની કરી હતી ત્યારબાદ ત્રણેય આરોપીઓએ ભૂંડ પકડવા તેમજ અરજી પાછી ખેંચી લેવા બાબતે ફરિયાદી તથા ત્રિલોક અને બલદેવ સાથે બોલાચાલી, ઝઘડો કર્યો હતો અને ધોકા વડે માર્યો હતો ત્યારે ફરિયાદીને બચાવવા સાહેદો વચ્ચે પડતા તેઓને પણ ઢીકાપાટુ અને લાકડાના ધોકા વડે માર્યો હતો અને બલદેવને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ઇજા પામેલા ત્રણેય વ્યક્તિને સારવારમાં લઈ ગયા હતા ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં મારામારીના આ બનાવ સંદર્ભે વળતી ફરિયાદ લઈને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News