વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 57 કરોડનાં ખર્ચે રોડનું કામ મંજૂર
હળવદના લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં ઘોડીપાસાનો જુગાર રમતા ભાજપના આગેવાન સહિત ૧૮ પકડાયા: પંકજ ગોઠી અને નિલેશ ગામીને પકડવા તજવીજ
SHARE









હળવદમાં આવેલ લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં ઘોડીપાસાનો જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ભાજપના આગેવાન સહિત કુલ મળીને ૧૮ આરોપીઓને રોકડ ૨,૦૨,૧૦૦ સાથે ઝડપી લેવામાં આવેલ છે અનો બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
હળવદના પીઆઇ આર.ટી.વ્યાસની સુચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલાને મળેલ બાતમી હકીકત આધારે હળવદ પોલીસ સ્ટાફ દ્વારા લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં રેઇડ કરી હતી ત્યારે ત્યાં ઘોડીપાસાનો જુગાર રમતા હોવાનું સામે આવ્યુ હતુ જેથી પોલીસો સ્થળ ઉપરથી ભરતભાઈ હરખાભાઇ વઢરેકીયા રહે. કડિયાણા, અલાઉદીન મહમદભાઈ ચૌહાણ રહે. કણબીપરા હળવદ, મહેબુબભાઇ નથુભાઇ સિપાઇ રહે. સીયદ વાસ ગૌરી દરવાજે હળવદ, જાકીર દાઉદભાઇ ચૌહાણ રહે. મોટા ફળીયા હળવદ, મોસીનભાઈ હબીબભાઈ ચૌહાણ રહે. જંગરીવાસ હળવદ, ઇરફાનભાઈ યુનુસભાઇ રાઠોડ રહે જંગરીવાસ હળવદ, દિવ્યેશભાઇ કિશોરભાઈ જેઠલોજા રહે. પિપળી, વલ્લભભાઈ સુંદરજીભાઈ પટેલ (ભાજપ આગેવાન) રહે. રાતાભેર ગામ હળવદ, રશીદ જુમાભાઇ ચૌહાણ રહે. જુના બસ સ્ટેશન પાસે ગેબનશાહ પીરની દરગાહ પાસે મોરબી, ફૈયાઝ યાકુબભાઇ ભટ્ટી રહે. મૌચીબજાર ખત્રીવાડ હળવદ, શબ્બીરભાઈ જુસકભાઈ ચૌભણ રહે. જુના બસ સ્ટેશન પાસે જોન્શનગર લાતી પ્લોટ મોરબી, તોહીદ અજીતભાઇ ચૌહાણ રહે. જુના બસ સ્ટેશન પાસે, જોન્શનગર, મોરબી, રજાક અકબરભાઇ ભટ્ટી રહે. જંગરીવાસ હળવદ, જાવીદ અબ્દુલભાઇ ચૌહાણ રહે. મહેન્દ્રપરા મોરબી, ઈમરાન હનિફભાઇ ભટ્ટી રહે. નવા ડેલા રોડ રોડ, રાવલ શેરી, મોરબીમ શિરાઝ સલેમાનભાઇ કેડા રહે. કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે, મોરબી, અસલમભાઇ સલીમભાઇ ચાનીયા રહે. કાલીકા પ્લોટ શેરી નં.૦૨, મોરબી અને સલીમભાઇ જુમાભાઇ ચૌહાણ રહે. મોરબી જૂના બસ સ્ટેશન પાસે, નવા ડેલા રોડ, મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી ૨,૦૨,૧૦૦ ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને નિલશે ધનજીભાઈ ગામી રહે. મોરબી તેમજ પંકજ ચમનભાઈ ગોઠી રહે. હળવદ વાળાના નામ સામે આવેલ છે જેથી કરીને તે બંનેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે આ કામગીરી પીઆઇ આર.ટી.વ્યાસની સુચના મુજબ સ્ટાફના દિનેશભાઇ હનાભાઇ બાવળીયા, મનહરભાઇ મેરાભાઈ સદાદીયા, વિપુલભાઈ સુરેશભાઇ ભવાડીયા, દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, યુવરાજસિંહ નિરુભા જાડેજા, ભરતભાઇ નરશીભાઇ તારબુંદીયા મનોજભાઈ ગોપાલભાઈ પટેલ વિગેરેએ કરેલ છે.
