મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા કાંકરેજના દેવદરબાર મઢનાં મહંતના વિરોધમાં કલેક્ટરને આવેદન


SHARE







મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા કાંકરેજના દેવદરબાર મઢનાં મહંતના વિરોધમાં કલેક્ટરને આવેદન

મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ તથા સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ દ્વારા ગઇકાલે કાંકરેજ દેવદરબારના મહંતના વિરોધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું છે કેમ કે, તેના  દ્વારા ગોસ્વામી સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી.

મોરબીમાં મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, કાંકરેજના ગંગાપુરા ગામે થળી મઢ ખાતે મહંત 1008 જગદીશપુરીજી બાપુ તા 19/11/24 ના રોજ દેવલોક પામતા તા. 22/11/24 ના રોજ થળીમઢ મુકામે સમગ્ર સેવકો, ભક્તગણ તેમજ સંતો મહંતોની તેમજ હજારો ગ્રામજનોની હાજરીમાં નવા ગાદીપતિ તરીકે મહંત કાર્તિકપુરીજી બાપુની ચાદરવિધિ કરવામાં આવી છે. કોઈપણ સંત, મહંત દેવલોક પામે તો તેમના સેવકગણ, સંતો, ગ્રામજનોની હાજરીમાં પાલખીયાત્રા કાઢવામાં આવે છે. પરંતુ અહીં માત્ર ગણ્યાગાંઠ્યા લોકોની હાજરીમાં કોઈ સંતોની રાહ જોયા વગર પાલખીયાત્રા કાઢ્યા વગર સમાધિ આપી દેવામાં આવી હતી.

દેવદરબારની જગ્યાના મહંત બળદેવનાથે બેફામ વાણી વિલાસ કરીને ગોસ્વામી સમાજ શું કરી લેશે. તેમજ સમગ્ર સમાજને ધમકી આપી હતી. જેથી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ તેમનો વીડિયો જોઈ ખુબ જ આઘાત સાથે દુઃખની લાગણી અનુભવે છે. અને આવી અશોભનીય તથા અભદ્ર વાણીનો ઉપયોગ કરનારની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અને સમગ્ર દશનામ ગોસ્વામી સમાજની માનહાની થઈ હોય મહંત બળદેવનાથ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજે માંગ કરી છે.






Latest News