મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા કાંકરેજના દેવદરબાર મઢનાં મહંતના વિરોધમાં કલેક્ટરને આવેદન


SHARE













મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા કાંકરેજના દેવદરબાર મઢનાં મહંતના વિરોધમાં કલેક્ટરને આવેદન

મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ તથા સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ દ્વારા ગઇકાલે કાંકરેજ દેવદરબારના મહંતના વિરોધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું છે કેમ કે, તેના  દ્વારા ગોસ્વામી સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી.

મોરબીમાં મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, કાંકરેજના ગંગાપુરા ગામે થળી મઢ ખાતે મહંત 1008 જગદીશપુરીજી બાપુ તા 19/11/24 ના રોજ દેવલોક પામતા તા. 22/11/24 ના રોજ થળીમઢ મુકામે સમગ્ર સેવકો, ભક્તગણ તેમજ સંતો મહંતોની તેમજ હજારો ગ્રામજનોની હાજરીમાં નવા ગાદીપતિ તરીકે મહંત કાર્તિકપુરીજી બાપુની ચાદરવિધિ કરવામાં આવી છે. કોઈપણ સંત, મહંત દેવલોક પામે તો તેમના સેવકગણ, સંતો, ગ્રામજનોની હાજરીમાં પાલખીયાત્રા કાઢવામાં આવે છે. પરંતુ અહીં માત્ર ગણ્યાગાંઠ્યા લોકોની હાજરીમાં કોઈ સંતોની રાહ જોયા વગર પાલખીયાત્રા કાઢ્યા વગર સમાધિ આપી દેવામાં આવી હતી.

દેવદરબારની જગ્યાના મહંત બળદેવનાથે બેફામ વાણી વિલાસ કરીને ગોસ્વામી સમાજ શું કરી લેશે. તેમજ સમગ્ર સમાજને ધમકી આપી હતી. જેથી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ તેમનો વીડિયો જોઈ ખુબ જ આઘાત સાથે દુઃખની લાગણી અનુભવે છે. અને આવી અશોભનીય તથા અભદ્ર વાણીનો ઉપયોગ કરનારની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અને સમગ્ર દશનામ ગોસ્વામી સમાજની માનહાની થઈ હોય મહંત બળદેવનાથ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજે માંગ કરી છે.








Latest News