આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના સનાળા નજીક થાર ગાડી પલટી મારી જતાં સુત્રાપાડાના અમરાપુર ગામના યુવાનનું મોત: બે ને ઇજા


SHARE













મોરબીના સનાળા નજીક થાર ગાડી પલટી મારી જતાં સુત્રાપાડાના અમરાપુર ગામના યુવાનનું મોત: બે ને ઇજા

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર સનાળા ગામની બાજુમાં આવેલ સીએનજીના પંપ પાસેથી થાર ગાડી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર ગાડીને ચાલકે વાહનના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ગાડી પલટી મારી ગઈ હતી અને ત્યારે ગાડીમાં બેઠેલા ડ્રાઇવર સહિતના ત્રણ વ્યક્તિઓને ઇજા થઈ હતી જેમાં ડ્રાઇવિંગ કરી રહેલા યુવાનને કપાળ અને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું આ બનાવમાં ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના અમરાપુર ગામના રહેવાસી જીગ્નેશભાઈ મૂળુભાઈ જાખોત્રા જાતે સોરઠીયા આહીર (24)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૃતક રોહિતભાઈ જેતશીભાઈ રામ જાતે સોરઠીયા આહિર (28) રહે. ક્રિષ્ના વાડી પાછળ અમરાપુર તાલુકો સુત્રાપાડા વાળાની સામે મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર શનાળા ગામની બાજુમાં આવેલ સીએનજીના પંપ પાસેથી રોહિતભાઈ રામની થાર ગાડી નંબર જીજે 3 એપી 3777 માં ફરિયાદી તેમજ સાગરભાઇ અને રોહિતભાઈ પસાર થઈ રહ્યા હતા દરમિયાન રોહિતભાઈએ કોઈ કારણોસર ગાડીના સ્ટેરીંગના ઉપરથી કાબુ ગુમાવી દેતા ગાડી પલટી મારી ગઈ હતી જેથી કરીને ફરિયાદી યુવાનને ઘૂંટણના ભાગે ઈજા થઈ હતી તેમજ સાગરભાઇને ડાબા પગના ઘૂંટણમાં અને ડાબા હાથે અને પેડુના ભાગે ઈજા થયેલ હતી જોકે રોહિતભાઈ રામને કપાળમાં જમણી બાજુએ તથા માથાને પાછળની ભાગે ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. જેથી અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલ યુવાનની ફરિયાદ લઈને પોલીસે મૃતક સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News