મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોર્ચાના ઉપપ્રમુખ તરીકે વસંતભાઈ વ્યાસની વરણી સૌની યોજના લિંક-૩: વાંકાનેર તાલુકાના તળાવોને નર્મદાના નીરથી ભરવાનું કામ પૂરજોશમાં ચાલુ મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા વસ્તીગણતરીના ગણતરીદારોના હુકમ બાબત કમિશ્નર-મામલતદારને કરાઇ રજુઆત મોરબીના આલાપ રોડ ઉપર દબાણ દૂર કરવા સહિતના મુદ્દે 27 સોસાયટીના લોકોની મિટિંગ મળી મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રોડ ક્રોસ કરતી મહિલાને કચડી નાખતા ઘટના સ્થળે જ મોત


SHARE













મોરબીના ભરતનગર પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રોડ ક્રોસ કરતી મહિલાને કચડી નાખતા ઘટના સ્થળે જ મોત

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભારતનગર ગામ પાસે આજે સવારના સમયે રોડ ક્રોસ કરી રહેલ મહિલાને અજાણ્યા ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા મહિલાને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તે મહિલાનું મોત નીપજ્યું હતું અને મૃતક મહિલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર ખાતે વાત્સલ્ય વાટિકા ખાતે જતા હોય રસ્તામાં અકસ્માતના બનાવમાં તેનું મોત નીપજયું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી માળીયા હાઇવે રોડ ઉપર અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાતા હોય છે તેવી જ રીતે આજે સવારના 8:00 થી 8:30 વાગ્યાના અરસામાં ભરતનગર ગામ પાસેથી ખોખરા હનુમાન તરફ જવાનો જે રસ્તો છે તે રસ્તા બાજુ જવા માટે એક મહિલા રોડ ક્રોસ કરી રહી હતી દરમિયાન મહિલાને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા તે મહિલાને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી અને તે મહિલાની ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું અને તે મહિલાનો મોબાઇલ ફોન પણ આ અકસ્માતના બનાવમાં તૂટી ગયો હોવાના કારણે મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે થઈને ત્યાં સ્થળ ઉપર એકત્રિત થયેલા લોકોએ જહેમત ઉઠાવી હતી.

દરમિયાન મૃતક મહિલાનું નામ નેહાબેન વ્યાસ હોવાનું સામે આવ્યું હતું. જે ટ્રક ટેલરના ચાલકે અકસ્માત સર્જીને મહિલાનું મોત નીપજવ્યું હતું તે ટ્રક ટ્રેલરનો ચાલકને સ્થાનિક લોકો દ્વારા પકડવા માટે થઈને પીછો કરવામાં આવતા વાહન ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયેલ છે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરેલ છે અને વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે મૃતક મહિલા મહેન્દ્રનગર ગામ બાજુના રહેવાસી છે અને તે ખોખરા હનુમાન મંદિર ખાતે વાત્સલ્ય વાટિકમાં બાળકોની સાર સંભાળ માટે જતા હોવાનું સામે આવ્યું છે.

અકસ્માત બાદ ડ્રાઇવર ઉપર હુમલો
મોરબીના કંડલા બાયપાસ જૂની આરટીઓ કચેરી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં મેટાડોર અને ઇનોવા કાર વચ્ચે અકસ્માત બન્યો હતો.જે બનાવમાં મેટાડોરના ચાલક કાળિયાભાઈ મોહનભાઈ ખુંભા (ઉમર ૩૦) રહે.ભટુ ગામ જામખંભાળિયા વાળો મેટાડોર લઈને જતો હતો ત્યારે તેના મેટાડોરની સાથે ઇનોવા કાર અથડાઇ હતી.આ અકસ્માત બનાવમાં ઇનોવા કારના ચાલકે તેને માર મારતા કાળિયાભાઈ નામના વ્યક્તિને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો અને બનાવને પગલે તાલુકા પોલીસના એ.એમ.જાપડીયા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવે જાંબુડીયા ગામે રહેતા વિક્રમ રામજીભાઈ નામના ૪૨ વર્ષીય યુવાનને જાંબુડીયા ગામે દશામાઁના મંદિર નજીક મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બનાવને પગલે જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

યુવાન સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે મકનસર ગામે રહેતા કિશન રમેશભાઈ ડાભી નામના ૨૦ વર્ષના યુવાનને મોરબીના જાંબુડીયા ગામ પાસે સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં અજાણી કારના ચાલકે હડફેટે લીધો હતો. જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયો હતો.હાલ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના બી.જી.દેત્રોજા આગળની તપાસ ચલાવી રહ્યા છે.




Latest News