માળીયા (મી)ના હરીપર પાટીયા પાસે ટ્રક ટ્રેલરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત ટંકારા નજીક આઇસર ચાલકે રોડ સાઈડમાં ઊભેલી રિક્ષાને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ એક બાળકનું મોત ટંકારાના સરાયા ગામ નજીક આઇસરની પાછળ ખાનગી ટ્રાવેલ્સ બસ અથડાતાં અકસ્માત: કોઈ જાનહાનિ નહીં હળવદના મિયાણી ગામ પાસે ભૂંડ પકડવા બાબતે માથાકૂટમાં તલવાર વડે હુમલો: હવે સામસામી ફરિયાદ મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોર્ચાના ઉપપ્રમુખ તરીકે વસંતભાઈ વ્યાસની વરણી સૌની યોજના લિંક-૩: વાંકાનેર તાલુકાના તળાવોને નર્મદાના નીરથી ભરવાનું કામ પૂરજોશમાં ચાલુ મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા વસ્તીગણતરીના ગણતરીદારોના હુકમ બાબત કમિશ્નર-મામલતદારને કરાઇ રજુઆત મોરબીના આલાપ રોડ ઉપર દબાણ દૂર કરવા સહિતના મુદ્દે 27 સોસાયટીના લોકોની મિટિંગ મળી
Breaking news
Morbi Today

મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા વસ્તીગણતરીના ગણતરીદારોના હુકમ બાબત કમિશ્નર-મામલતદારને કરાઇ રજુઆત


SHARE













મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા વસ્તીગણતરીના ગણતરીદારોના હુકમ બાબત કમિશ્નર-મામલતદારને કરાઇ રજુઆત

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીના આગેવાનો દ્વારા ભારતની જનગણના-૨૦૨૭ અન્વયે આગામી 19, એપ્રિલથી વસ્તીગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે જ્યારે ગણતરીદારના હુકમ કાઢવામાં આવે છે તેને લઈને કેટલીક માંગણીઓ કરવામાં આવી છે જેને ધ્યાનમાં રાખીને હુકમો કાઢવા મ્યુનિસિપલ કમિશ્નર મહાનગરપાલિકા અને મોરબી તેમજ હળવદના મામલતદારને રજુઆત કરવામાં આવેલ છે,

હાલમાં કરવામાં આવેલ રજૂઆતની સાથે જે માંગણીઓ કરવામાં આવેલ છે તેમાં મતદારયાદી સઘન સુધારણા SIRની કામગીરી કરેલ બીએલઓ અને સહાયક વસ્તી ગણતરીના ગણતરીદાર તરીકે ન લેવામાં આવે, ગણતરીદાર તરીકે મોટી ઉંમરના શારિરીક તેમજ તબીબી તકલીફ વાળા શિક્ષક ભાઈઓ અને બહેનોને ન લેવામાં આવે, ગણતરીદાર તરીકે તમામ ખાતામાંથી સપ્રમાણમાં કર્મચારીઓ લેવામાં આવે, ગણતરીદાર તરીકે જે તે શિક્ષકોને પોતાના ફરજના સ્થળનો અને હાલના રહેઠાણના સ્થળનો વિસ્તાર આપવામાં આવે, ગણતરીદાર તરીકે જો બહેનોને લેવાના થાય તો સંવેદનશીલ વિસ્તાર ફાળવવામાં ન આવે અને કોઈ શિક્ષક ભાઈ કે બહેનની અગાઉથી બહાર જવા માટેની ટીકીટ બુક થઈ ગઈ હોય કે અન્ય કોઈ વ્યાજબી કારણોસર અગાઉથી આપને જાણ કરેલ હોય કે કોઈ આકસ્મિક સંજોગો ઉભા થાય તો હુકમ ફેરફાર કરી આપવામાં આવે તેવી માંગ કરી છે. અને આ રજુઆતને ધ્યાને લઈને વસ્તી ગણતરીના હુકમો કાઢવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે હાલમાં રજુઆત કરેલ છે




Latest News