મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં અજાણ્યા શખ્સે માથામાં બોથડ પદાર્થનો ઘા મારીને યુવાનની કરી હત્યા


SHARE













મોરબીમાં અજાણ્યા શખ્સે માથામાં બોથડ પદાર્થનો ઘા મારીને યુવાનની કરી હત્યા

મોરબીની વાવડી ચોકડી પાસેથી માથાના ભાગે ઇજા પામેલ હાલતમાં રોડની નજીક ખેતરના ખૂણેથી વિપ્ર યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલએ ખસેડવામાં આવી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળે તથા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. બનાવમાં પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીની વાવડી ચોકડી પાસે આવેલા ખેતરની ફેન્સીંગ નજીકથી સોમવારે સવારે નવેક વાગ્યાના અરસામાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતદેહ મોરબીની સરકારી હોસ્પિટલએ ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદમાં મૃતકનું નામ રાજેશભાઇ કાંતિલાલ જોશી (22) રહે. ઓડદર ગામ તાલુકો જીલ્લો પોરબંદર વાળો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી અને પીએમ રિપોર્ટમાં યુવાનને માથામાં બોથડ પદાર્થનો ઘા માર્યો હોવાનું તેમજ શરીરે મૂઢ માર માર્યો હોવાનું સામે આવ્યું હતું.

હાલમાં આ બનાવમાં મોરબીમાં સર્કિટ હાઉસની પાસે રહેતા નિખિલ શિવલાલભાઈ બારેજિયા (37)ની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મૃતક રાજેશભાઇ કાંતિલાલ જોશી વેપારના કામ માટે મોરબીમાં આવ્યા હતા અને ત્યારે વાવડી ચોકડી પાસે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેને માથાના ભાગે બોથડ પદાર્થ મારીને તેમજ શરીરરે માર મારીને તેની હત્યા કરવામાં આવેલ છે. વધુમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ મૃતક યુવાનના છોટા હાથી વાહનનો આગળનો કાચ પણ તૂટી ગયેલ છે હાલમાં હત્યાના આ બનાવની આગળની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ હકુમતસિંહ જાડેજા તથા તેના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે.




Latest News