ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીનાં હડમતિયા ગામે 108 દિવસ સુધી શ્રી પંચદેવ યજ્ઞ મહાભગીરથ ધાર્મિક કાર્યક્રમનું આયોજન


SHARE











મોરબીનાં હડમતિયા ગામે 108 દિવસ સુધી શ્રી પંચદેવ યજ્ઞ મહાભગીરથ ધાર્મિક કાર્યક્રમનું આયોજન

મોરબી જિલ્લામાં હડમતીયા ગામ નજીક પાલનપીર ની જગ્યાની સામે આવેલા રાજલ ફાર્મમાં સતતં એક્સો આઠ  દિવસનું પંચદેવ યજ્ઞનું  મહા ભગીરથ  ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કદાચ સમગ્ર ગુજરાત ભરમાંથી આવું સૌપ્રથમવાર આયોજન થયું છે તેવો અહીં આ ધાર્મિક કાર્યમાં પધારેલા સાધુ સંતોનો ઉદગાર હતો. આ ભગીરથ કાર્ય વીરપર ગામનાં રાજલ ગ્રુપના કેશવજીભાઈ પ્રભુભાઈ વાધડીયા અને તેમના ધર્મપત્ની મંજુલાબેન તરફથી કરવામાં આવ્યું છે.

આ બાબતે વાત કરીએ તો હરિદ્વાર પાસે આવેલા ભગીરથી આશ્રમ ના દર્શને ગયા બાદ ત્યાં સંકલ્પ કર્યો કે સતત એકસો આઠ  દિવસ સુધી પંચદેવ મહાયજ્ઞ નું આયોજન કરવું છે. અને આ પંચદેવ એટલે શ્રી ગણેશજી, રાજબાઈ માતાજી, શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન, અને સૂર્ય ભગવાન તેમજ હાલના સમયે ચાલતા યજ્ઞ દરમિયાન એક સંકલ્પ લેવાયો કે હનુમાનજી મહારાજનું પણ અનુષ્ઠાન કરવું અને તે મુજબ આ યજ્ઞ પૂરો થશે ત્યારે છ દેવોનું યજ્ઞ સહિતનું પૂજન અર્ચન થયેલું  હશે. અહીં દરરોજ રાત્રે ધૂન ભજન અને સંતવાણીનું આયોજન થયું છે. વીરપર ગામના પરિવારજનો આ સેવા યજ્ઞમાં જમાડવા અને દરેક પ્રકારની વ્યવસ્થાની જવાબદારી ઉપાડી લીધી છે.

આ યજ્ઞમાં બેસનારાએ તેમના સગા વ્હાલા ને તેડાવવા અને યજ્ઞમાં બેસતા પરિણીતા નેં પીયરીયાઓએ જે પહેરામણી કરવાની હોય છે તે આ મહા યજ્ઞના આયોજકો કેશવજીભાઈ તથા તેમના ધર્મપત્ની તરફથી પહેરામણી કરી દેવામાં આવે છે. તેમના વતન વીરપર ગામના જુદી જુદી જ્ઞાતિના લોકોને જુદા જુદા દિવસે પ્રસાદ લેવાનું આમંત્રણ આપ્યું છે. એકસો આઠ દિવસ સુધી દરરોજ પાંચ બ્રાહ્મણ પરિવારને પ્રસાદ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે. આ રાજલ ફાર્મમાં કાયમી ધોરણે યજ્ઞશાળા શરૂ કરવામાં આવી છે. દરરોજ ગાયોને નીરણ અને કૂતરાને રોટલા ખવડાવવાનું સેવા કાર્ય સતત ચાલુ છે.

યજ્ઞપૂર્ણ થયા બાદ  તમામ લોકોને પ્રસાદ લીધો હતો.  યજ્ઞશાળાનાં પટાંગણમાં જ વાધડીયા  પરિવારની મહિલાઓ રાસડે રમે છે. જેમાં નાની બાલિકાઓ, યુવતીઓ અને મોટી ઉમરની મહિલાઓ રાસડે રમે છે. અહીં એ વાત જણાવી દઈએ કે ઘણા લોકો પોતાના ઘરે પોતાનો પ્રસંગ કાઢવામાં ત્રણ ચાર દિવસનું આયોજન કરે છે પરંતુ ત્રણ ચાર દિવસના આયોજન કંટાળો આવી જાય છે ત્યારે આ તો પરસેવા અને ધાર્મિક કાર્ય માટે સતત ૧૦૮ દિવસ સુધી  યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને એટલે જ આવા કાર્યોને લોકો ભાગીરથી કાર્ય કહે છે.






Latest News