વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

હળવદ : અકસ્માતના ગુન્હામાં ૨ વર્ષથી ફરાર આરોપી પકડાયો


SHARE











હળવદ : અકસ્માતના ગુન્હામાં ૨ વર્ષથી ફરાર આરોપી પકડાયો

હળવદ પોલીસ મથક ખાતે નોંધાયેલા અકસ્માતના ગુનામાં આરોપી છેલ્લા બે વર્ષથી ફરાર હતો.જેને બાતમીને આધારે પોલીસ સ્ટાફ દ્વારા ભરૂચ ખાતેથી શોધી કાઢવામાં આવેલ છે.

મળતી માહિતી પ્રમાણે હળવદ ખાતે વર્ષ ૨૦૨૩ માં અકસ્માત અંગે ફરિયાદ નોંધઈ હતી અને તે બનાવમાં છેલ્લા બે વર્ષથી સતેન્દ્ર જયરામ યાદવ રહે.પટખૌલી ઘુધર મહારાજગંજ (યુ.પી) નામનો ઇસમ ફરાર હતો.દરમિયાન મોરબી એલસીબીની પેરોલ ટીમના જયેશભાઇ વાઘેલા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા તથા વિક્રમભાઇ રાઠોડને સંયુક્તમાં ખાનગીરાહે હકિકત મળેલ કે આરોપી સતેન્દ્ર જયરામ યાદવ હાલ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જોલવા ગામ ખાતે આવેલ છે તે ચોકકસ બાતમીને આધારે ત્યાંથી તેને પકડી પાડવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી પાડાપુલ પાસે બાઈક અને રીક્ષા અકસ્માત બન્યો હતો.જેમાં મુસ્તાક હુસેનભાઈ પીલુડિયા (૪૩) અને હમિદાબેન મુસ્તાભાઇ (૪૦) રહે.બંને મહેન્દ્રપરાને ઇજા થતા સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના ઘુંટુ ગામ પાસે આવેલ દવાખાના પાસે વાહન અકસ્માતના બનાવમાં બાબુભાઈ ધીરુભાઈ મારવાણીયા (ઉમર ૭૦) રહે.ત્રાજપર ખારીને ઇજા થતા સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા.






Latest News