હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

હળવદ : અકસ્માતના ગુન્હામાં ૨ વર્ષથી ફરાર આરોપી પકડાયો


SHARE











હળવદ : અકસ્માતના ગુન્હામાં ૨ વર્ષથી ફરાર આરોપી પકડાયો

હળવદ પોલીસ મથક ખાતે નોંધાયેલા અકસ્માતના ગુનામાં આરોપી છેલ્લા બે વર્ષથી ફરાર હતો.જેને બાતમીને આધારે પોલીસ સ્ટાફ દ્વારા ભરૂચ ખાતેથી શોધી કાઢવામાં આવેલ છે.

મળતી માહિતી પ્રમાણે હળવદ ખાતે વર્ષ ૨૦૨૩ માં અકસ્માત અંગે ફરિયાદ નોંધઈ હતી અને તે બનાવમાં છેલ્લા બે વર્ષથી સતેન્દ્ર જયરામ યાદવ રહે.પટખૌલી ઘુધર મહારાજગંજ (યુ.પી) નામનો ઇસમ ફરાર હતો.દરમિયાન મોરબી એલસીબીની પેરોલ ટીમના જયેશભાઇ વાઘેલા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા તથા વિક્રમભાઇ રાઠોડને સંયુક્તમાં ખાનગીરાહે હકિકત મળેલ કે આરોપી સતેન્દ્ર જયરામ યાદવ હાલ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જોલવા ગામ ખાતે આવેલ છે તે ચોકકસ બાતમીને આધારે ત્યાંથી તેને પકડી પાડવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી પાડાપુલ પાસે બાઈક અને રીક્ષા અકસ્માત બન્યો હતો.જેમાં મુસ્તાક હુસેનભાઈ પીલુડિયા (૪૩) અને હમિદાબેન મુસ્તાભાઇ (૪૦) રહે.બંને મહેન્દ્રપરાને ઇજા થતા સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના ઘુંટુ ગામ પાસે આવેલ દવાખાના પાસે વાહન અકસ્માતના બનાવમાં બાબુભાઈ ધીરુભાઈ મારવાણીયા (ઉમર ૭૦) રહે.ત્રાજપર ખારીને ઇજા થતા સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા.






Latest News