આગામી ફેબ્રુઆરીની શરૂઆતમા ભારતભરના રાજપૂત સમાજના ૧૦૦૦ દીકરાઓ માટે ૨૧ દિવસીય તાલીમ કેમ્પનું આયોજન મોરબીના મહેન્દ્રનગરથી બહુચરાજી મંદિર સુધીની પદયાત્રા માટે 200 લોકોનો સંઘ રવાના મોરબીમાં જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરવા માટે તડામાર તૈયારી શરૂ: આયોજકોની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના ગોર ખીજડીયા નજીક નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાથી અસંખ્ય માછલાંના મોત મોરબી: નજીવી વાતમાં કારખાનેદાર અને તેની પત્નીએ શ્રમિકને માર મારતા બંને સામે ગુનો નોંધાયો મોરબી નજીક ટ્રેન હેડફેટે ચડી જવાથી યુવાનનું મોત, વાંકાનેરના જામસર પાસે બાઈક ઉપરથી પડી જતા યુવાનનું મોત માળીયા (મી)ના વાગડીયા ઝાપા પાસેથી 197 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા: 2.01 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન
Breaking news
Morbi Today

હળવદ : અકસ્માતના ગુન્હામાં ૨ વર્ષથી ફરાર આરોપી પકડાયો


SHARE



























હળવદ : અકસ્માતના ગુન્હામાં ૨ વર્ષથી ફરાર આરોપી પકડાયો

હળવદ પોલીસ મથક ખાતે નોંધાયેલા અકસ્માતના ગુનામાં આરોપી છેલ્લા બે વર્ષથી ફરાર હતો.જેને બાતમીને આધારે પોલીસ સ્ટાફ દ્વારા ભરૂચ ખાતેથી શોધી કાઢવામાં આવેલ છે.

મળતી માહિતી પ્રમાણે હળવદ ખાતે વર્ષ ૨૦૨૩ માં અકસ્માત અંગે ફરિયાદ નોંધઈ હતી અને તે બનાવમાં છેલ્લા બે વર્ષથી સતેન્દ્ર જયરામ યાદવ રહે.પટખૌલી ઘુધર મહારાજગંજ (યુ.પી) નામનો ઇસમ ફરાર હતો.દરમિયાન મોરબી એલસીબીની પેરોલ ટીમના જયેશભાઇ વાઘેલા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા તથા વિક્રમભાઇ રાઠોડને સંયુક્તમાં ખાનગીરાહે હકિકત મળેલ કે આરોપી સતેન્દ્ર જયરામ યાદવ હાલ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જોલવા ગામ ખાતે આવેલ છે તે ચોકકસ બાતમીને આધારે ત્યાંથી તેને પકડી પાડવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી પાડાપુલ પાસે બાઈક અને રીક્ષા અકસ્માત બન્યો હતો.જેમાં મુસ્તાક હુસેનભાઈ પીલુડિયા (૪૩) અને હમિદાબેન મુસ્તાભાઇ (૪૦) રહે.બંને મહેન્દ્રપરાને ઇજા થતા સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના ઘુંટુ ગામ પાસે આવેલ દવાખાના પાસે વાહન અકસ્માતના બનાવમાં બાબુભાઈ ધીરુભાઈ મારવાણીયા (ઉમર ૭૦) રહે.ત્રાજપર ખારીને ઇજા થતા સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા.






Latest News