શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી બાંગલાદેશમાં હિન્દુ યુવકની નિર્મમ હત્યાના બાનવનો મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા પૂતળા દહન કરીને વિરોધ મોરબીમાં એપીકે ફાઇલ મોબાઈલમાં સેન્ડ કરીને ફોન હેક કરી બેંકમાંથી 3.33 લાખ ઉપાડી લેવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે વાંકાનેરના વરડુસર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સાયન્સ લેબનું ઉદ્ઘાટન કરાયું મોરબીના નીરૂનગર નજીક અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા પામેલા યુવાનુનું મોત મોરબીમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતાં 3 મકાન માલિક સામે કાર્યવાહી હળવદના રણછોડગઢ ગામના પાટીયા નજીકથી દારૂની 20 બોટલ સાથે એકની ધરપકડ
Breaking news
Morbi Today

સુરતમાં 6 ડિસેમ્બર ડો.બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને રાજ્યલેવલના કાર્યક્રમનું આયોજન


SHARE











સુરતમાં 6 ડિસેમ્બર ડો.બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને રાજ્યલેવલના કાર્યક્રમનું આયોજન

મહામાનવ ડો.બાબાસાહેબ આંબેડકર મહાપરિનિર્વાણ દિન 6 ડિસેમ્બર નિમિત્તે સ્વયમ્ સૈનિક દળ (SSD)ના દ્વારા ગુજરાતના સુરત જિલ્લામાં રાજ્યલેવલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ગુજરાત તથા ભારતભરમાંથી લોકો મહારેલી યોજી ડો.બાબા સાહેબ તથા બહુજન મહાપુરુષોને મહાસલામી આપશે. ત્યારબાદ એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ભાગ લેવા મોરબી જિલ્લામાંથી તારીખ 05/12/24 ના રોજ સાંજે 5 કલાકે સિવિલ હોસ્પિટલ ચોક ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સલામી આપી મોરબી જિલ્લાના સૈનિકો સુરત કાર્યક્રમમાં જવા માટે રવાના થશે. જેમાં વિક્રમભાઈ વણોલના જણાવ્યા અનુસાર મોરબી જિલ્લામાંથી 5 બસ અને 10 ફોરવ્હીલ તથા અંદાજિત 500થી વધુ લોકો સુરત જવા માટે રવાના થશે. તેમજ સુરત ખાતે હજારોની સંખ્યામાં ભીમ સૈનિકો જોડાશે.






Latest News