મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

સુરતમાં 6 ડિસેમ્બર ડો.બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને રાજ્યલેવલના કાર્યક્રમનું આયોજન


SHARE













સુરતમાં 6 ડિસેમ્બર ડો.બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને રાજ્યલેવલના કાર્યક્રમનું આયોજન

મહામાનવ ડો.બાબાસાહેબ આંબેડકર મહાપરિનિર્વાણ દિન 6 ડિસેમ્બર નિમિત્તે સ્વયમ્ સૈનિક દળ (SSD)ના દ્વારા ગુજરાતના સુરત જિલ્લામાં રાજ્યલેવલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ગુજરાત તથા ભારતભરમાંથી લોકો મહારેલી યોજી ડો.બાબા સાહેબ તથા બહુજન મહાપુરુષોને મહાસલામી આપશે. ત્યારબાદ એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ભાગ લેવા મોરબી જિલ્લામાંથી તારીખ 05/12/24 ના રોજ સાંજે 5 કલાકે સિવિલ હોસ્પિટલ ચોક ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સલામી આપી મોરબી જિલ્લાના સૈનિકો સુરત કાર્યક્રમમાં જવા માટે રવાના થશે. જેમાં વિક્રમભાઈ વણોલના જણાવ્યા અનુસાર મોરબી જિલ્લામાંથી 5 બસ અને 10 ફોરવ્હીલ તથા અંદાજિત 500થી વધુ લોકો સુરત જવા માટે રવાના થશે. તેમજ સુરત ખાતે હજારોની સંખ્યામાં ભીમ સૈનિકો જોડાશે.




Latest News