મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખેડૂતો દ્વારા ધિરાણ માફીના ફોર્મ ભરવાનું કામ ચાલુ કરાયું


SHARE









મોરબી જીલ્લામાં ખેડૂતો દ્વારા ધિરાણ માફીના ફોર્મ ભરવાનું કામ ચાલુ કરાયું

ગુજરાત પ્રદેશના જુદા જુદા ખેડૂત સંગઠનોની સંયુક્ત મીટીંગમાં  થયેલ ચર્ચા વિચારણા બાદ લેવાયેલા નિર્ણય મુજબ અન્ય રાજ્યોની સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવી રહ્યા છે. તો ગુજરાતના ખેડૂતોના દેવા માફી કેમ નહી ? એક તો ગુજરાતના ખેડૂતોને પાક વીમાના લાભો મળતા નથી અને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિમાં ખેડૂતોને યોગ્ય વળતર પણ મળતું નથી અને ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને પાક નિષ્ફળ ગયેલ છે અને પાક લેવા માટે ખેડૂતોએ મોટી રકમના પાક ધિરાણો લીધેલ હતા જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોના પાક ધિરાણના દેવા માફી કરવામાં આવે તેવી માંગણી સાથે અરજી કરવાનું નક્કી કરેલ છે જેથી કરીને તા 9/12 ના રોજ મોટા ભેલા ગામે  ખેડૂતોની અરજી કરવાની શરૂઆત કરવામાં આવેલ હતી. ત્યારે કાન્તિલાલ ડી. બાવરવા (પ્રમુખ, રાજીવ ગાંધી પંચાયતી રાજ, ગુજરાત પ્રદેશ), ડો. લખમણભાઈ કણઝારીયા (મહામંત્રી R.G.P.R.S.), મુળુભાઈ ગોહેલ (સરપંચ) સહિતના ગામના ખેડૂતો હાજર રહ્યા હતા.






Latest News