ટંકારા-હીરાપર વચ્ચે રીક્ષા-ટ્રેકટર વચ્ચે અકસ્માત, સાત ઇજાગ્રસ્તો પૈકી એક મહિલાનું મોત મોરબીમાં હિમાલય સેલ્સ એજન્સીના ગોડાઉનમાંથી ડુપ્લીકેટ બાબુ ચુનાના પાર્સલનો જથ્થો મળ્યો: બે સામે ફરિયાદ મોરબીમાં કિન્નરો દ્વારા આશીર્વાદના નામે થતી ખંડણી રોકવા જાહેરનામું પ્રસિદ્ધ કરો: રાજપૂત સમાજના પ્રર્વ પ્રમુખની રજૂઆત ટંકારાના મીતાણા ડેમ અને નદીનું પાણી ખેતી માટે અનામત રાખવા મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં ડૉ.પ્રશાંત મેરજાની પુણ્યતિથિ નિમિતે મેડિકલ કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાના અપહરણ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના લક્ષ્મીનગર ગામેથી સગીરાનું અપહરણ કરનાર પરિણીત ઢગો ઝડપાયો,જેલ હવાલે મોરબીમાંથી ઉધારમાં ટાઇલ્સ લઈને આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા કોર્ટનો આદેશ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખેડૂતો દ્વારા ધિરાણ માફીના ફોર્મ ભરવાનું કામ ચાલુ કરાયું


SHARE











મોરબી જીલ્લામાં ખેડૂતો દ્વારા ધિરાણ માફીના ફોર્મ ભરવાનું કામ ચાલુ કરાયું

ગુજરાત પ્રદેશના જુદા જુદા ખેડૂત સંગઠનોની સંયુક્ત મીટીંગમાં  થયેલ ચર્ચા વિચારણા બાદ લેવાયેલા નિર્ણય મુજબ અન્ય રાજ્યોની સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવી રહ્યા છે. તો ગુજરાતના ખેડૂતોના દેવા માફી કેમ નહી ? એક તો ગુજરાતના ખેડૂતોને પાક વીમાના લાભો મળતા નથી અને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિમાં ખેડૂતોને યોગ્ય વળતર પણ મળતું નથી અને ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને પાક નિષ્ફળ ગયેલ છે અને પાક લેવા માટે ખેડૂતોએ મોટી રકમના પાક ધિરાણો લીધેલ હતા જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોના પાક ધિરાણના દેવા માફી કરવામાં આવે તેવી માંગણી સાથે અરજી કરવાનું નક્કી કરેલ છે જેથી કરીને તા 9/12 ના રોજ મોટા ભેલા ગામે  ખેડૂતોની અરજી કરવાની શરૂઆત કરવામાં આવેલ હતી. ત્યારે કાન્તિલાલ ડી. બાવરવા (પ્રમુખ, રાજીવ ગાંધી પંચાયતી રાજ, ગુજરાત પ્રદેશ), ડો. લખમણભાઈ કણઝારીયા (મહામંત્રી R.G.P.R.S.), મુળુભાઈ ગોહેલ (સરપંચ) સહિતના ગામના ખેડૂતો હાજર રહ્યા હતા.






Latest News