મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખેડૂતો દ્વારા ધિરાણ માફીના ફોર્મ ભરવાનું કામ ચાલુ કરાયું


SHARE













મોરબી જીલ્લામાં ખેડૂતો દ્વારા ધિરાણ માફીના ફોર્મ ભરવાનું કામ ચાલુ કરાયું

ગુજરાત પ્રદેશના જુદા જુદા ખેડૂત સંગઠનોની સંયુક્ત મીટીંગમાં  થયેલ ચર્ચા વિચારણા બાદ લેવાયેલા નિર્ણય મુજબ અન્ય રાજ્યોની સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવી રહ્યા છે. તો ગુજરાતના ખેડૂતોના દેવા માફી કેમ નહી ? એક તો ગુજરાતના ખેડૂતોને પાક વીમાના લાભો મળતા નથી અને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિમાં ખેડૂતોને યોગ્ય વળતર પણ મળતું નથી અને ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને પાક નિષ્ફળ ગયેલ છે અને પાક લેવા માટે ખેડૂતોએ મોટી રકમના પાક ધિરાણો લીધેલ હતા જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોના પાક ધિરાણના દેવા માફી કરવામાં આવે તેવી માંગણી સાથે અરજી કરવાનું નક્કી કરેલ છે જેથી કરીને તા 9/12 ના રોજ મોટા ભેલા ગામે  ખેડૂતોની અરજી કરવાની શરૂઆત કરવામાં આવેલ હતી. ત્યારે કાન્તિલાલ ડી. બાવરવા (પ્રમુખ, રાજીવ ગાંધી પંચાયતી રાજ, ગુજરાત પ્રદેશ), ડો. લખમણભાઈ કણઝારીયા (મહામંત્રી R.G.P.R.S.), મુળુભાઈ ગોહેલ (સરપંચ) સહિતના ગામના ખેડૂતો હાજર રહ્યા હતા.




Latest News