મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીમાં માત્ર પુરસ્તકયુ નહીં, પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે નીલકંઠ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે યોજાઇ ચૂંટણી


SHARE









મોરબીમાં માત્ર પુરસ્તકયુ નહીં, પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે નીલકંઠ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે યોજાઇ ચૂંટણી

મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓમાં નાનપણથી જ મતદાના માટે જાગૃતતા આવે અને મતદાનની પ્રક્રિયાથી વાકેફ થાય તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેના ભાગરૂપે જે રીતે વિધાનસભાની ચૂંટણી હોય અને પ્રચાર કરવામાં આવે તેવી જ રીતે આ ચુંટણીમાં ઉમેદવાર બનેલા વિદ્યાર્થીઓએ દ્વારા પોતાને મત મળે તે માટે શાળામાં પ્રચાર કરવામાં આવેલ હતો અને આજે ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું જેમાં તમામ ફરજો વિદ્યાર્થીઓએ પૂરી કરી હતી.

સામાન્ય રીતે ચૂંટણી આવે ત્યારે માહોલ ગરમાઈ છે તેવો જ માહોલ આજે મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ વિદ્યાલયમાં જોવા મળ્યો હતો કેમ કે, શનાળા સંચાલક જીતેન્દ્રભાઈ વડસોલા સહિતનાઓ દ્વારા વિદ્યાર્થીઓને મતદાન, ચૂંટણી પ્રક્રિયા વિગેરેની માહિતી મળી રહે તે માટે મોરબી માળિયા વિધાનસભા-65 ની ચૂંટણી હોય તેવો માહોલ શાળામાં પૂરો પાડવામાં આવેલ છે અને આ ચુંટણીમાં ધો. 6 થી 9 માં ભણતા વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાન વિષયમાં આવતા વિવિધ પાઠ જેવા કે સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર, લોકશાહીમાં સમાનતા, ભારતીય બંધારણ, સંસદ અને કાયદો, ખરડો, ઠરાવ, સરકારનાં વિવિધ અંગો વગેરેની માત્ર પુરસ્તકમાં હોય તેટલી જ માહિતી નહીં પરંતુ પ્રેક્ટિકલ જ્ઞાન પણ મળે તે માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના આઠ વિદ્યાર્થીઓએ ઉમેદવારી કરી હતી. તેમજ વિદ્યાર્થીઓને જ ચૂંટણી અધિકારી તેમજ સ્ટાફની કામગીરી માટેની માહિતી શિક્ષક દ્વારા આપવામાં આવી હતી. ત્યાર બાદ આજે શાંતિપૂર્ણ માહોલમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નેતાને ચૂંટવા માટે મતદાન કર્યું હતું. અને આવતી કાલે આ મતોની ગણતરી કરવામાં આવશે. તેવી માહિતી નીલકંઠ વિદ્યાલયના સંચાલક જીતેન્દ્રભાઈ વડસોલાએ આપેલ છે.






Latest News