ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં માત્ર પુરસ્તકયુ નહીં, પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે નીલકંઠ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે યોજાઇ ચૂંટણી


SHARE













મોરબીમાં માત્ર પુરસ્તકયુ નહીં, પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે નીલકંઠ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે યોજાઇ ચૂંટણી

મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓમાં નાનપણથી જ મતદાના માટે જાગૃતતા આવે અને મતદાનની પ્રક્રિયાથી વાકેફ થાય તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેના ભાગરૂપે જે રીતે વિધાનસભાની ચૂંટણી હોય અને પ્રચાર કરવામાં આવે તેવી જ રીતે આ ચુંટણીમાં ઉમેદવાર બનેલા વિદ્યાર્થીઓએ દ્વારા પોતાને મત મળે તે માટે શાળામાં પ્રચાર કરવામાં આવેલ હતો અને આજે ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું જેમાં તમામ ફરજો વિદ્યાર્થીઓએ પૂરી કરી હતી.

સામાન્ય રીતે ચૂંટણી આવે ત્યારે માહોલ ગરમાઈ છે તેવો જ માહોલ આજે મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ વિદ્યાલયમાં જોવા મળ્યો હતો કેમ કે, શનાળા સંચાલક જીતેન્દ્રભાઈ વડસોલા સહિતનાઓ દ્વારા વિદ્યાર્થીઓને મતદાન, ચૂંટણી પ્રક્રિયા વિગેરેની માહિતી મળી રહે તે માટે મોરબી માળિયા વિધાનસભા-65 ની ચૂંટણી હોય તેવો માહોલ શાળામાં પૂરો પાડવામાં આવેલ છે અને આ ચુંટણીમાં ધો. 6 થી 9 માં ભણતા વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાન વિષયમાં આવતા વિવિધ પાઠ જેવા કે સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર, લોકશાહીમાં સમાનતા, ભારતીય બંધારણ, સંસદ અને કાયદો, ખરડો, ઠરાવ, સરકારનાં વિવિધ અંગો વગેરેની માત્ર પુરસ્તકમાં હોય તેટલી જ માહિતી નહીં પરંતુ પ્રેક્ટિકલ જ્ઞાન પણ મળે તે માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના આઠ વિદ્યાર્થીઓએ ઉમેદવારી કરી હતી. તેમજ વિદ્યાર્થીઓને જ ચૂંટણી અધિકારી તેમજ સ્ટાફની કામગીરી માટેની માહિતી શિક્ષક દ્વારા આપવામાં આવી હતી. ત્યાર બાદ આજે શાંતિપૂર્ણ માહોલમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નેતાને ચૂંટવા માટે મતદાન કર્યું હતું. અને આવતી કાલે આ મતોની ગણતરી કરવામાં આવશે. તેવી માહિતી નીલકંઠ વિદ્યાલયના સંચાલક જીતેન્દ્રભાઈ વડસોલાએ આપેલ છે.






Latest News