મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

જીલ્લામાં જે સરપંચ, કોન્ટ્રાકટર અને અધિકારી સારું કામ કરતાં હશે તેઓનું જાહેરમાં સન્માન કરવામાં આવશે: કાંતિભાઇ અમૃતિયા


SHARE







મોરબીમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટી પાસે આજે લાયન્સનગર પ્રાથમિક શાળાના લોકાર્પણ સહિતના 66 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયએ કહ્યું હતું કે, “ જીલ્લામાં જે સરપંચ, કોન્ટ્રાકટર અને અધિકારી સારું કામ કરતાં હશે તેઓનું જાહેરમાં સન્માન કરવામાં આવશે, જો કોઈ નબળું કામ કરશે તો તેની  સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

મોરબી જીલ્લામાં ધડોધડ મંજૂર કરવામાં આવેલ કામના ખાતમુહૂર્ત કરવામાં આવે છે અને કામ પૂરા થયા પછી તેના લોકાર્પણ કરવામાં આવે છે ત્યારે મોરબીના આવેલ ત્રાજપરમાળિયા-વનાળીયાજવાહરનગર તથા ભડિયાદ જિલ્લા પંચાયતની સીટમાં આવતા ગામોમાં જે વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા તેનું આજે ક્રિષ્ના સિરામિક ખાતે યોજાયેલ કાર્યક્રમમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ઉપરાંત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા, કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા, મોકબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ દેસાઇ, મોરબી જીલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર, મેઘરાજસિંહ ઝાલા, જયોતિસિંહ જાડેજા, સુરેશભાઇ સિરોહીયા, મનુભાઈ સરેસા તેમજ ગૌતમભાઈ સોલંકી સહિતના હજાર રહ્યા હતા.

ત્યારે એક કરોડથી વધુના ખર્ચ બનાવવામાં આવેલ લાયન્સનગર પ્રાથમિક શાળાના લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે ઉપરાંત ચારેય ગ્રામ્ય વિસ્તારમાં કોમ્યુનીટી હોલભૂગર્ભ ગટર, પીવાના પાણીની પાઈપ, પેવરબ્લોક, કોઝવેના કામ વિગેરે કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે કાંતિભાઈ અમૃતીયએ કહ્યું હતું કે જીલ્લામાં જે સરપંચો, કોન્ટ્રાકટરો અને અધિકારીઓએ દ્વારા સારું કામ કરવામાં આવશે તેઓનું સન્માન કરવામાં આવશે અને નબળું કામ કરવામાં આવશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત તેઓએ સરકારો દ્વારા લોકોના આરોગ્યને ધ્યાને રાખીને જે યોજના અમલમાં મૂકવામાં આવી છે તેનો લાભ લેતા પહેલા દર્દીએ પણ બે થી ત્રણ જગ્યાએ સચોટ નિદાન કરાવવું જોઇએ પછી સરકારી યોજનાનો લાભ લઈને સારવાર કરાવવી જોઈએ તેવી ટકોર કરી હતી.






Latest News