મોરબી મનપાની હદમાં વાડી વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની લાઈન માટેની કામગીરી પ્રગતિ હેઠળ મોરબી મનપાની એસ્ટેટ શાખા એ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી તપનભાઇ દવેનું હળવદ શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરાયુ સન્માન મોરબીના 108 બાકીદારોની મિલકતને સીલ કરતુ મહાનગરપાલિકા: મકાનનો વેરો ન ભરનારા 2 આસામીઓના નળ કનેક્શન કટ ગુજરાતમાં દારૂબંધીને ધજાગરા !: મોરબીના આંદરણા ગામે સરકારી શાળામાં શિક્ષક નશાની હાલતમાં વિદ્યાર્થીઓને ભણાવતા ઝડપાયો, ક્લાસરૂમમાંથી દારૂની અડધી બોટલ મળી મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે તળાવ નજીકથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો મોરબી માળિયા હાઇવે રોડ ઉપરથી પસાર થતી કારમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીમાં વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત બાળક સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે વોંકળાના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE













વાંકાનેરના ઢુવા પાસે વોંકળાના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ઢુવા નજીક મેલડી માતાજીના મંદિર પાસે પાણીના વોંકળામાંથી અજાણ્યા 35 થી 40 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે જેથી કરીને તેને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ચોટીલાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ કયુટોન સીરામીક કારખાને સામે ઝૂંપડામાં રહેતા રાયધનભાઈ બચુભાઈ ચાડમીયા (27) નામના યુવાને વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી કે, ઢુવા નજીક આવેલ ફેવરિટ પ્લસ કારખાના પાછળ મેલડી માતાજીના મંદિર સામે પાણીના વોંકળામાં અજાણ્યા 35 થી 40 વર્ષના યુવાનોનો મૃતદે પડ્યો છે અને કોઈ પણ કારણોસર પગ લપસવાના કારણે પાણીમાં તે યુવાન પાણીમાં ડૂબી ગયો હોય તેવી લાગી રહ્યું છે જેથી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News