મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં નંદીઘરના લાભાર્થે યોજાયેલ કીર્તીદાન ગઢવીના લોકડાયરો દાતાઓ વર્ષી ગયા: 60 લાખનું દાન મળ્યું


SHARE













મોરબીમાં નંદીઘરના લાભાર્થે યોજાયેલ કીર્તીદાન ગઢવીના લોકડાયરો દાતાઓ વર્ષી ગયા: 60 લાખનું દાન મળ્યું

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમ છેલ્લા ઘણા વર્ષોથી પશુ-પક્ષીઓની સારવાર સહિતની કામગીરી કરી રહી છે અને તેની સેવકીય પ્રવૃતિને જોઈને ઘણા દાતાઓ તરફથી આ ટીમને આર્થિક મદદ આપવામાં આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં નંદીઘર બનાવવા માટેનું આયોજન આ ટીમે કર્યું છે અને તેના લાભાર્થે મોરબીના કીર્તીદાન ગઢવી, લોક સાહિત્યકાર રાજભા ગઢવી (ગીર), ભજનીક મિલન પટેલ સહિતના કાલકારોના લોક ડાયરાનું આયોજન રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ટંકારા પડધરી બેઠકના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં કિશોભાઈ ચિખલિયા, આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરિયા, અરવિંદભાઇ વાંસદડિયા, રવિભાઈ સનાવડા, પુષ્પરાજસિંહ જાડેજા, સંદીપભાઈ કલારિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને આ સંસ્થાને દાન આપીને આર્થિક મદદ કરતાં દાતાઓનુ સંસ્થાના સંચાલકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમે મોરબીમાં જે સેવા કાર્ય શરૂ કર્યું છે તેને વેગ આપવા માટે યોજાયેલ લોક ડાયરામાં કીર્તીદાન ગઢવી અને રાજભા ગઢવીની ટીમે જમાવટ કરી હતી જેથી કરીને મોરબીના દાતાઓ વર્ષી ગયા હતા જેથી કરીને 20 લાખ જેટલી લોકોએ ઘોર કરી હતી અને આગેવાનો તેમજ ઉદ્યોગકારો દ્વારા 40 લાખ જેટલી રકમ સેવા કાર્યમાં આપવા માટે ત્યાં લખાવી હતી આમ કુલ મળીને આ એક લોક ડાયરથી કર્તવ્ય જીવદાય કેન્દ્રને નંદીઘરના પ્રોજેકટ માટે 60 લાખ જેટલી રકમનું દાન મળ્યું છે વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, શહેરના લોકોને નંદીના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે થઈને નંદીઘર બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અને જેમ જેમ મોરબીના લોકો તરફથી દાન આવતું જશે તેમ તેમ નંદીઘર માટેનું કામ આગળ વધારવામાં આવશે. અત્રે ઉલેખનીય છે કે, મોરબીની આસપાસમાં જમીન લઈને અંદાજે 21 કરોડના ખર્ચે નંદીઘર બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. 

મોરબીની બાળ કલાકારે ડાયરામાં રમઝટ બોલાવી

મોરબીના બાળ કલાકાર  મીરા દવેએ કર્તવ્ય જીવદયા કેન્દ્ર આયોજિત લોક ડાયરાના કાર્યક્રમમાં વિશાળ જનમેદની વચ્ચે ભજનની રમઝટ બોલાવી હતી.

મોરબી ના રવાપર  ઘુનડા રોડ રામેશ્વર ફાર્મ ખાતે  કર્તવ્ય જીવ દયા કેન્દ્ર આયોજિતા નંદી ઘર નિર્માણના લાભાર્થે ગુજરાત ના  પ્રસિદ્ધ  સુર સમ્રાટ  કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી (લોક સાહીત્યકાર) ગીર ,મિલન પટેલ (ભજનિક) ,જેવા કલાકારો ની સાથે મોરબી ની દીકરી  મીરા કૃષ્ણચંદ્ર દવે એ (બાળ કલાકાર) એ વિશાળ મંચ પરથી  ભારે જનમેદની વચ્ચે   ભજન ની રમઝટ બોલાવી હતી..લોકો ને મંત્ર મુગ્ધ  કર્યાં હતાં.લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

 






Latest News