મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ લોકોને ધાબળાનું વિતરણ


SHARE













મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ લોકોને ધાબળાનું વિતરણ

હાલમાં ઠંડી વધુ પડી રહી છે ત્યારે ઉપર આકાશ અને નીચે ધરતી જેવી સ્થિતિમાં રહેતા ઘણા પરિવારનોને મદદ રૂપ થવા માટે જુદીજુદી સંસ્થાઓ કામ કરી રહી છે તેવી જ રીતે મોરબીમાં દાતાઓના સહકારથી શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ જરૂરતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવે છે.

મોરબી શહેરમાં કોઇપણ વિસ્તારમાં ઓઢ્યા વગર સુતા દરીદ્ર નારાયણને ઠંડીની સામે રક્ષણ મળે તે માટે શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ ધાબળાનું વિતરણ કરવામાં આવે છે જેથી કરીને કોઈપણ વિસ્તારમાં ઠંડીમાં ઓઢવાનું ન હોય  અને સૂતા હોય તેવા જો કોઈ વ્યક્તિ કોઈને પણ દેખાઈ તો તેના માટે મોબાઈલ નંબર 9913701533 ઉપર સંપર્ક કરવા માટે સંસ્થાના સંચાલકોએ કહ્યું છે અને તે વ્યક્તિને તાત્કાલિક તેના સ્થળ ઉપર જઈને શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધાબળા આપી જવામાં આવશે. અને સેવા કામમાં કોઈપણ દાતા સહયોગ આપવા ઇચ્છતા હોય તો તેમનાં નવા અથવા જુના ધાબળા, સ્વેટર, જાકિટ વગેરે કોઈપણ પ્રકારના ગરમ કપડાં જરૂરિયાતમંદોને પહોંચાડવા માટે શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીનો સંપર્ક કરવા જણાવ્યુ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી નગર પર્યાવરણ ગતિવિધિ અંતર્ગત એક થાળી એક થેલી અભિયાન મહાકુંભને અનુલક્ષીને શરૂ કર્યું હતું અને 5000 જેટલી થાળી અને થેલીનો લક્ષ્યાંક રાખવામા આવેલ હતો અને સંઘની યોજના અન્વયે આ અભિયાન મોરબી શહેર વિસ્તારમાં સફળતા પૂર્વક પૂર્ણ કર્યું હતું






Latest News