પ્રેમનો કરૂણ અંજામ: મોરબી નજીક સજોડે ઝેરી દવા પી ગયેલ પ્રેમીપંખીડામાંથી પ્રેમિકાનું મોત
વાંકાનેરના આંગણે સર્વ હિન્દૂ જ્ઞાતીની દિકરીઓ માટે સમૂહલગ્નનું આયોજન
SHARE
વાંકાનેરના આંગણે સર્વ હિન્દૂ જ્ઞાતીની દિકરીઓ માટે સમૂહલગ્નનું આયોજન
સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ દ્રારા આયોજીત ભવ્યાતિ ભવ્ય જાજરમાન “દિકરી નું પાનેતર” સર્વ હિન્દૂ જ્ઞાતી ચોથો શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને વાંકાનેરના આંગણે ત્રીજા સમૂહ લગ્નોત્સવની ભવ્ય સફરતા બાદ આ આયોજન કરવામાં આવ્યું છે.
સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ દ્વારા વાંકાનેર ખાતે અઢારે વરણને સાથે રાખીને “દિકરી નું પાનેતર” ચોથો શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 11/05/2025 ને રવીવારે સાંજે 5:00 કલાકે સર્વે હિન્દૂ જ્ઞાતીની દીકરીઓ માટે આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે અને આ સમૂહ લગ્નમાં દરેક દિકરીઓને 101થી વધારે ચીજ વસ્તોઓનો કરિયાવર ભેટ આપવામાં આવશે. જેથી સર્વ હિન્દૂ જ્ઞાતિ જે દિકરીઓ આ સમૂહલગ્નોત્સવમાં જોડાવવા માંગતી હોઈ તેઓએ વહેલા તે પહેલા ધોરણે લગ્ન નોધણી ફોર્મ ભરવાના રહેશે અને વધુ માહિતી માટે સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ કાર્યાલય (હેડ ઓફિસ) ન્યૂ કોમ્પલેક્ષ પહેલા માળે, જ્ઞાનગંગા સ્કૂલ સામે, બસ સ્ટેન્ડ મેઇન રોડ, વાંકાનેર (9173009968 અને 9106518189) તેમજ સાજણ એગ્રો પાડધરા બસ સ્ટેન્ડ પાસે (8849324020) સંપર્ક કરવા માટે આયોજકોએ જણાવ્યુ છે.