મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા
Breaking news
Morbi Today

પોલીસને તસ્કરોનો ખુલ્લો પડકાર: માળીયા મિયાણા તાલુકાનાં નાના દહીંસરા ગામે એક સાથે સાત મકાનોમાં ચોરી


SHARE









પોલીસને તસ્કરોનો ખુલ્લો પડકાર: માળીયા મિયાણા તાલુકાનાં નાના દહીંસરા ગામે એક સાથે સાત મકાનોમાં ચોરી

મોરબી સહિત ગુજરાતમાં શિયાળામાં જેમ ઠંડી વધે છે તેમ ચોરીની ઘાટનો પણ વધે છે તે હકકીત છે તેવામાં મોરબી જિલ્લાના માળીયા તાલુકાનાં નાના દહિસરા ગામે તસ્કરોએ તરખાટ મચાવી દીધેલ છે અને એકી સાથે એક કે બે નહીં સાત મકાનોમાં ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે તસ્કરોએ ખુલ્લો પડકાર ફેંકીને પોલીસ તેમજ સ્થાનિક લોકોની ઊંઘ ઉડાવી દીધેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ગુરુવારની રાતે મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના નાના દહીંસરા ગામે તસ્કરો નાઈટ પેટ્રોલીંગમાં હોય તેવો ઘાટ સર્જાયો છે કેમાં કે એક જ રાતમાં તસ્કરોએ સાત મકાનના તાળાં તોડેલ છે. વધુમાં સ્થાનિક લોકો પાસેથી જાવા મળતી માહિતી મુજબ માળીયા (મી) ના નાના દહીંસરા ગામે તસ્કરોએ સાત જેટલા બંધ મકાનના તાળા તોડી નાની મોટી રકમના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે. જો કે, જે મકાનોને તસ્કરોએ નિશાન બનાવેલ છે તેમાંથી મોટાભાગના લોકો મોરબીમાં રહે છે જેથી કરીને તેના મકાન બંધ હોય છે અને આ બંધ મકાનમાં ચોરીઓ કરવામાં આવેલ છે જેથી અગાઉ કામમાં રેકી કરવામાં આવી હોય તેવી શક્યતા છે અને જે રીતે માળીયા તાલુકામાં તસ્કરોએ ધામા નાખેલ છે તેવી જ રીતે મોરબી તાલુકાનાં મકનસર ગામે પણ તસ્કરોએ ધામા નાખેલ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.






Latest News