મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

પોલીસને તસ્કરોનો ખુલ્લો પડકાર: માળીયા મિયાણા તાલુકાનાં નાના દહીંસરા ગામે એક સાથે સાત મકાનોમાં ચોરી


SHARE













પોલીસને તસ્કરોનો ખુલ્લો પડકાર: માળીયા મિયાણા તાલુકાનાં નાના દહીંસરા ગામે એક સાથે સાત મકાનોમાં ચોરી

મોરબી સહિત ગુજરાતમાં શિયાળામાં જેમ ઠંડી વધે છે તેમ ચોરીની ઘાટનો પણ વધે છે તે હકકીત છે તેવામાં મોરબી જિલ્લાના માળીયા તાલુકાનાં નાના દહિસરા ગામે તસ્કરોએ તરખાટ મચાવી દીધેલ છે અને એકી સાથે એક કે બે નહીં સાત મકાનોમાં ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે તસ્કરોએ ખુલ્લો પડકાર ફેંકીને પોલીસ તેમજ સ્થાનિક લોકોની ઊંઘ ઉડાવી દીધેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ગુરુવારની રાતે મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના નાના દહીંસરા ગામે તસ્કરો નાઈટ પેટ્રોલીંગમાં હોય તેવો ઘાટ સર્જાયો છે કેમાં કે એક જ રાતમાં તસ્કરોએ સાત મકાનના તાળાં તોડેલ છે. વધુમાં સ્થાનિક લોકો પાસેથી જાવા મળતી માહિતી મુજબ માળીયા (મી) ના નાના દહીંસરા ગામે તસ્કરોએ સાત જેટલા બંધ મકાનના તાળા તોડી નાની મોટી રકમના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે. જો કે, જે મકાનોને તસ્કરોએ નિશાન બનાવેલ છે તેમાંથી મોટાભાગના લોકો મોરબીમાં રહે છે જેથી કરીને તેના મકાન બંધ હોય છે અને આ બંધ મકાનમાં ચોરીઓ કરવામાં આવેલ છે જેથી અગાઉ કામમાં રેકી કરવામાં આવી હોય તેવી શક્યતા છે અને જે રીતે માળીયા તાલુકામાં તસ્કરોએ ધામા નાખેલ છે તેવી જ રીતે મોરબી તાલુકાનાં મકનસર ગામે પણ તસ્કરોએ ધામા નાખેલ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.






Latest News