મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

પોલીસને તસ્કરોનો ખુલ્લો પડકાર: માળીયા મિયાણા તાલુકાનાં નાના દહીંસરા ગામે એક સાથે સાત મકાનોમાં ચોરી


SHARE













પોલીસને તસ્કરોનો ખુલ્લો પડકાર: માળીયા મિયાણા તાલુકાનાં નાના દહીંસરા ગામે એક સાથે સાત મકાનોમાં ચોરી

મોરબી સહિત ગુજરાતમાં શિયાળામાં જેમ ઠંડી વધે છે તેમ ચોરીની ઘાટનો પણ વધે છે તે હકકીત છે તેવામાં મોરબી જિલ્લાના માળીયા તાલુકાનાં નાના દહિસરા ગામે તસ્કરોએ તરખાટ મચાવી દીધેલ છે અને એકી સાથે એક કે બે નહીં સાત મકાનોમાં ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે તસ્કરોએ ખુલ્લો પડકાર ફેંકીને પોલીસ તેમજ સ્થાનિક લોકોની ઊંઘ ઉડાવી દીધેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ગુરુવારની રાતે મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના નાના દહીંસરા ગામે તસ્કરો નાઈટ પેટ્રોલીંગમાં હોય તેવો ઘાટ સર્જાયો છે કેમાં કે એક જ રાતમાં તસ્કરોએ સાત મકાનના તાળાં તોડેલ છે. વધુમાં સ્થાનિક લોકો પાસેથી જાવા મળતી માહિતી મુજબ માળીયા (મી) ના નાના દહીંસરા ગામે તસ્કરોએ સાત જેટલા બંધ મકાનના તાળા તોડી નાની મોટી રકમના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે. જો કે, જે મકાનોને તસ્કરોએ નિશાન બનાવેલ છે તેમાંથી મોટાભાગના લોકો મોરબીમાં રહે છે જેથી કરીને તેના મકાન બંધ હોય છે અને આ બંધ મકાનમાં ચોરીઓ કરવામાં આવેલ છે જેથી અગાઉ કામમાં રેકી કરવામાં આવી હોય તેવી શક્યતા છે અને જે રીતે માળીયા તાલુકામાં તસ્કરોએ ધામા નાખેલ છે તેવી જ રીતે મોરબી તાલુકાનાં મકનસર ગામે પણ તસ્કરોએ ધામા નાખેલ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.




Latest News