વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં બાગ બગીચા સહિતની સારી સુવિધા આપશે તો ધારાસભ્યનું નહેરૂ ગેઇટ ચોકમાં કરીશું સન્માન: સામાજિક કાર્યકરો 


SHARE













મોરબીમાં બાગ બગીચા સહિતની સારી સુવિધા આપશે તો ધારાસભ્યનું નહેરૂ ગેઇટ ચોકમાં કરીશું સન્માન: સામાજિક કાર્યકરો 

છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે તો પણ આજની તારીખે મોરબી અને માળિયા શહેર પ્રાથમિક સુવિધા માટે લોકોને હેરાન થવું પડે છે અને મોરબી શહેરમાં એકપણ ફરવા લાયક સ્થળ નથી જેથી કરીને આ બાબતે યોગ્ય કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકરોએ કરી છે.

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશભાઇ, ગીરશભાઇ કોટેચાએ રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યું છે કે, મોરબી અને માળિયા શહેરમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે અને જિલ્લો બન્યો તેને 11 વર્ષ થઈ ગયેલ છે તો પણ મોરબી શહેર તથા માળિયા શહેરમાં પ્રાથમિક સુવિધાઓ માટે લોકોને હેરાન થવું પડે છે અને મોરબી કે માળિયા શહેરમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એક પણ સારો બગીચો આપી શક્યા નથી.

રાજશાહીમાં જે બગીચાઓ હતા તેની યોગ્ય જાળવણી કરવામાં આવી નથી જેથી તે ખંઢેર બની ગયેલ છે. જેથી આ બંને શહેરમાં નવા બગીચા બનાવવામાં આવે તેવી માંગ કરી છે તેમજ મોરબીમાં વર્ષો જુનુ શોભેશ્વર રોડ પર પાલિકાએ બનાવેલ પીકનીક સેન્ટર આવેલ છે તે હાલમાં ખંઢેર હાલતમાં છે અને ત્યાં આવારા તત્વોએ કબજો કરી લીધેલ છે ત્યારે મોરબી જિલ્લાને 4  ધારાસભ્ય અને 3 સંસદ મળ્યા પણ એક સારો બગીચો કેમ ન મળ્યો તે સવાલ ઉઠી રહ્યો છે.

હાલમાં સારવાર માટે અને શિક્ષણ માટેની સારી સુવિધાઓ નથી અને રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા, ભૂગર્ભ ગટરની સમસ્યા તેમજ નહેરૂ ગેટની ઘડિયાળ પણ છેલ્લા ઘણા સમયથી બંધ છે.ત્યારે લોકોની સુવિધાઓને વધારીને સારા બાગ સહિતની લોકોને સુવિધાઓ આપવામાં આવશે તો મોરબીના ધારાસભ્યનું નહેરૂ ગેઇટ ચોકમાં સન્માન કરવામાં આવશે તેમ સામાજિક કાર્યકરોએ જણાવ્યું છે.






Latest News