મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા ગામે આવાસ યોજનાના લાભાર્થીઓને નડતર રૂપ વાયર-પોલ ખસેડી દેવા પંચાયતની રજૂઆત


SHARE













માળીયા (મી)ના બગસરા ગામે આવાસ યોજનાના લાભાર્થીઓને નડતર રૂપ વાયર-પોલ ખસેડી દેવા પંચાયતની રજૂઆત

માળીયા (મી) તાલુકાના બગસરા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનાવવામાં વીજ કંપનીના વાયર નડતર રૂપ છે ત્યારે આ નડતર રૂપ વાયર અને પોલની કામગીરી માટે વિનામુલ્યે કામ કરી આપવા રજુઆત કરવામાં આવી છે.

માળીયા (મી)ની બગસરા ગ્રામ પંચાયત દ્વારા  પીજીવીસીએલ કચેરી પીપળીયા ચાર રસ્તા પેટા વિભાગમાં ગામમાં મંજુર થયેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાયના મકાનના લાભાર્થીઓને તેમની માલીકીની જમીનમાં મકાનનું કામ ચાલુ કરવું છે તેમાં ફળીયા વચ્ચે નિકળતા વાયર અને નવા પોલ માટે લાભાર્થીઓઅનેક લેખીત રજુઆત કરી હતી અને ઓફિસના સ્ટાફ દ્વારા પૈસા અને ફી ભરો તેવી મોખીક સૂચના આપવામાં આવે છે જેથી લોકોને ધક્કા થાય છે અને નાના માણસોને ફી માં માફી આપવામાં આવે અને તર રૂપ વાયરને બીજી જગ્યાએ લઈ જવામાં આવતા નવા પોલ માટે લાભાર્થીને વિનામુલ્યે કામગીરી કરી આપવામાં આવે તેવી માંગ પંચાયતે કરેલ છે.




Latest News