મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

હળવદમાં ખાનગી ગોડાઉનમાંથી સરકારી ખાતર મળવાના બનાવમાં પાંચ આરોપીઓને પકડવા તજવીજ: ડીવાયએસપી


SHARE













હળવદમાં ખાનગી ગોડાઉનમાંથી સરકારી ખાતર મળવાના બનાવમાં પાંચ આરોપીઓને પકડવા તજવીજ: ડીવાયએસપી

મોરબી જીલ્લાના હળવદની મોરબી ચોકડી પાસે થોડા દિવસો પહેલા ગોડાઉનમાં પોલીસે રેડ કરી હતી અને ત્યારે ગોડાઉનની અંદરથી યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો અને સરકારી યુરિયા ખાતરની ખાલી ગુણીઓ મળી આવી હતી જેથી ખેતીવાડી વિભાગે સેમ્પલ લીધેલ હતા અને તેનો રિપોર્ટ આવ્યા બાદ હાલમાં ખેતીવાડી વિભાગના અધિકારીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધવાતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.

ગત તા. 7 ના રોજ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં મોરબી ચોકડી પાસે આવેલ ગોડાઉનની અંદર યુરિયા ખાતરનો જથ્થો હોવાની હકીકતા આધારે સ્થાનિક પોલીસે ત્યાં વહેલી સવારે રેડ કરી હતી ત્યાર બાદ ખેતીવાડી વિભાગના અધિકારીને જાણ કરી હતી. જેથી ખેતીવાડીની ટીમ ત્યાં પહોંચી હતી બાદમાં ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તે સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ હાલમાં ખેતીવાડી નાયાબ નિયામક વિસ્તરણ અધિકારી તરંગ ફળદુએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજય ભુપેન્દ્રભાઈ રાવલ (ગોડાઉન સંચાલક), કયટારામ જાટ (ટ્રક ડ્રાઈવર), કાળુ ખોડાભાઇ મુધવા, ચેતન રાઠોડ અને જયદીપ તારબુદીયા (ખાતર સપ્લાયર) સામે ફરીયાદ નોંધાવેલ છે.

જે ફરિયાદમાં જણાવ્યુ છે કે, આરોપી ચેતન રાઠોડ અને જયદીપ તારબુદીયા સરકારનું સબસીડી વાળુ સસાયણિક ખાતર ખેડુતને વિતરણ કરવા માટે એજન્ટ તરીકે નિમવામા આવેલ હોવાનુ જાણવા છતા સરકારની સબસીડી વાળું ખાતર ખેડુતોના ખેતીના ઉપયોગ માટે આપવાના બદલે રાસાયણિક ખાતરને માર્કા વગરની બેગમાં ભરીને ઔધૌગિક વપરાશ હેતુ માટે અજય ભુપેન્દ્રભાઈ રાવલ, કયટારામ જાટ અને કાળુ ખોડાભાઇ મુધવાને સંગ્રહ અને વેચાણ માટે આપવામાં આવતું હતું. જે તે સમયે ખાતરની 1437 બેગ મળી આવી હતી જેની કુલ કિંમત 5,13,249 નો માલ લાયસન્સ વગર ઔધૌગિક વપરાશ હેતુ માટે વાપરવા અને વેચાણ માટે આપેલ હતો તેમજ ટ્રક નંબર જીજે 39 ટી 7104 મળીને કુલ મળીને 25.19 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો આ બાબતે ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યુ હતું કે આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસ ચાલી રહી છે.




Latest News