મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

હળવદમાં ખાનગી ગોડાઉનમાંથી સરકારી ખાતર મળવાના બનાવમાં પાંચ આરોપીઓને પકડવા તજવીજ: ડીવાયએસપી


SHARE













હળવદમાં ખાનગી ગોડાઉનમાંથી સરકારી ખાતર મળવાના બનાવમાં પાંચ આરોપીઓને પકડવા તજવીજ: ડીવાયએસપી

મોરબી જીલ્લાના હળવદની મોરબી ચોકડી પાસે થોડા દિવસો પહેલા ગોડાઉનમાં પોલીસે રેડ કરી હતી અને ત્યારે ગોડાઉનની અંદરથી યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો અને સરકારી યુરિયા ખાતરની ખાલી ગુણીઓ મળી આવી હતી જેથી ખેતીવાડી વિભાગે સેમ્પલ લીધેલ હતા અને તેનો રિપોર્ટ આવ્યા બાદ હાલમાં ખેતીવાડી વિભાગના અધિકારીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધવાતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.

ગત તા. 7 ના રોજ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં મોરબી ચોકડી પાસે આવેલ ગોડાઉનની અંદર યુરિયા ખાતરનો જથ્થો હોવાની હકીકતા આધારે સ્થાનિક પોલીસે ત્યાં વહેલી સવારે રેડ કરી હતી ત્યાર બાદ ખેતીવાડી વિભાગના અધિકારીને જાણ કરી હતી. જેથી ખેતીવાડીની ટીમ ત્યાં પહોંચી હતી બાદમાં ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તે સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ હાલમાં ખેતીવાડી નાયાબ નિયામક વિસ્તરણ અધિકારી તરંગ ફળદુએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજય ભુપેન્દ્રભાઈ રાવલ (ગોડાઉન સંચાલક), કયટારામ જાટ (ટ્રક ડ્રાઈવર), કાળુ ખોડાભાઇ મુધવા, ચેતન રાઠોડ અને જયદીપ તારબુદીયા (ખાતર સપ્લાયર) સામે ફરીયાદ નોંધાવેલ છે.

જે ફરિયાદમાં જણાવ્યુ છે કે, આરોપી ચેતન રાઠોડ અને જયદીપ તારબુદીયા સરકારનું સબસીડી વાળુ સસાયણિક ખાતર ખેડુતને વિતરણ કરવા માટે એજન્ટ તરીકે નિમવામા આવેલ હોવાનુ જાણવા છતા સરકારની સબસીડી વાળું ખાતર ખેડુતોના ખેતીના ઉપયોગ માટે આપવાના બદલે રાસાયણિક ખાતરને માર્કા વગરની બેગમાં ભરીને ઔધૌગિક વપરાશ હેતુ માટે અજય ભુપેન્દ્રભાઈ રાવલ, કયટારામ જાટ અને કાળુ ખોડાભાઇ મુધવાને સંગ્રહ અને વેચાણ માટે આપવામાં આવતું હતું. જે તે સમયે ખાતરની 1437 બેગ મળી આવી હતી જેની કુલ કિંમત 5,13,249 નો માલ લાયસન્સ વગર ઔધૌગિક વપરાશ હેતુ માટે વાપરવા અને વેચાણ માટે આપેલ હતો તેમજ ટ્રક નંબર જીજે 39 ટી 7104 મળીને કુલ મળીને 25.19 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો આ બાબતે ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યુ હતું કે આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસ ચાલી રહી છે.






Latest News