ટંકારા-હીરાપર વચ્ચે રીક્ષા-ટ્રેકટર વચ્ચે અકસ્માત, સાત ઇજાગ્રસ્તો પૈકી એક મહિલાનું મોત મોરબીમાં હિમાલય સેલ્સ એજન્સીના ગોડાઉનમાંથી ડુપ્લીકેટ બાબુ ચુનાના પાર્સલનો જથ્થો મળ્યો: બે સામે ફરિયાદ મોરબીમાં કિન્નરો દ્વારા આશીર્વાદના નામે થતી ખંડણી રોકવા જાહેરનામું પ્રસિદ્ધ કરો: રાજપૂત સમાજના પ્રર્વ પ્રમુખની રજૂઆત ટંકારાના મીતાણા ડેમ અને નદીનું પાણી ખેતી માટે અનામત રાખવા મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં ડૉ.પ્રશાંત મેરજાની પુણ્યતિથિ નિમિતે મેડિકલ કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાના અપહરણ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના લક્ષ્મીનગર ગામેથી સગીરાનું અપહરણ કરનાર પરિણીત ઢગો ઝડપાયો,જેલ હવાલે મોરબીમાંથી ઉધારમાં ટાઇલ્સ લઈને આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા કોર્ટનો આદેશ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચાંચાવદરડા નજીક કાર-રીક્ષા વચ્ચે અકસ્માત થતાં એક મહિલાનું મોત: પાંચને ઇજા


SHARE











માળીયા (મી)ના ચાંચાવદરડા નજીક કાર-રીક્ષા વચ્ચે અકસ્માત થતાં એક મહિલાનું મોત: પાંચને ઇજા

માળિયા મીયાણા તાલુકામાં આવતા ચાચાવદરડા ગામેથી માળીયા બાજુ જતા રસ્તે રીક્ષા અને કાર અથડાતા અકસ્માત થયો હતો જેમાં બનાવમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજયું હતું જેથી તેના ડેડબોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવમાં અન્ય પાંચ લોકોને ઇજા થતાં તેને સારવાર માટે મોરબી લાવ્યા હતા જે પૈકીનાં એક મહિલાને વધુ ઇજા હોવાથી તેને રાજકોટ સારવાર માટે લઈ ગયા છે અને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે, આ બનાવ માળીયા તાલુકા પોલીસની હદમાં બનેલ છે જેથી ત્યાં બનાવની જાણ કરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણા તાલુકામાં આવતા ચાંચાવદરડા ગામેથી માળીયા બાજુ જવાના રસ્તે આવેલ સોહમ કોલ નજીક રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રીક્ષા અને કાર અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ઘટના સ્થળે ભાવનાબેન સંજયભાઈ વિરડા (42) રહે. સોનગઢ તાલુકો માળીયા મિયાણા વાળાનું મોત નીપજયું હતું. જેથી તેઓના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું તે ઉપરાંત આ અકસ્માત બનાવમાં ધર્મિષ્ઠાબેન યોગેશભાઈ સનારીયા (38)  રહે. રાસંગપર તાલુકો માળીયા મિયાણાને જાઓ પહોંચેલી હોય તેઓને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા તે ઉપરાંત અન્ય ચાર લોકોને ઈજા પહોંચી હતી જેમાં જાનબાઇ સિકંદર ભટ્ટી (26), સાના ઈકબાલભાઈ કટિયા (4), નસીમબેન ઈકબાલભાઈ કટિયા (34) અને ઇરફાન ગફુરભાઈ માલાણી (20) રહે. બધા માળીયા મિયાણા વાળાઓને પણ ઇજાઓ પહોંચતા મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા જે પૈકીના સાના ઈકબાલભાઈ કટિયા નામની બાળકીને વધુ સારવાર માટે રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી છે. આ બનાવ સંદર્ભે મોરબી પોલીસ દ્વારા માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી માળિયા પોલીસ દ્વારા આ બનાવ સંદર્ભે નોંધ કરી આગળની તપાસ શરૂ કરા છે

દવા પી લેતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના ચરાડવાથી દેવળીયા વાળા રસ્તે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારના કુસુમબેન બચુભાઈ રાઠવા નામની 16 વર્ષની સગીરા ઝેરી દવા પી ગઈ હતી જેથી તેને મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાડીબોલાચાલી ઝઘડો થયો હતો જે બાબતનું મનમાં દુઃખ લાગી આવતા કુસુમબેન રાઠવાએ આ પગલું ભરી લીધેલ છે જે બાબતે બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસ માટે હળવદ પોલીસને બનાવની જાણ કરવામાં આવેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના રહેવાસી જયેશ દેવજીભાઈ મકવાણા નામના યુવાનને મોરબીના ઘૂટું રોડે બાઇક સ્લીપ થવાના બનાવમાં ઇજા થયેલ હતી જેથી અકસ્માત બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલ છે.






Latest News