મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના ગાંધીબાગમાં સ્વચ્છતા ઝુંબેશના ધજાગર થતાં હોવાની સીએમને રજૂઆત


SHARE













મોરબીના ગાંધીબાગમાં સ્વચ્છતા ઝુંબેશના ધજાગર થતાં હોવાની સીએમને રજૂઆત

મોરબીના ગાંધીબાગમાં મહાત્મા ગાંધીની પ્રતિમા વર્ષોથી મૂકવામાં આવેલ છે ત્યાં ચોમેર ગંદકી છે ત્યારે આ બાબતે રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને રજૂઆત કરેલ છે અને ત્યાં સફાઈ ન કરવામાં આવે તો ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆતો કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબીમાં રહેતા કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને રજૂઆત કરેલ છે જેમાં તેમણે મોરબીને મહાપાલિકા બનાવવાના નિર્ણય માટે સરકારને ધન્યવાદ આપેલ છે અને વધુમાં જણાવ્યુ છે કે, મોરબીમાં ગાંધીબાગમાં ગાંધીજીની પ્રતિમા મૂકવામાં આવેલ છે તેની ચોમેર ગંદકી છે ત્યા વાહનોનું પાર્કિગ કરવામાં આવે છે જો કે, ગંદકીનું સામ્રાજ્ય દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે વર્તમાન વડાપ્રધાન દ્વારા સ્વચ્છતા મિશનમાં પણ ગાંધીજીના ચશ્માં તથા ફોટાનો ઉપયોગ કરવામાં આવેલ છે. તો મોરબીમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે ગંદગીનું સામ્રાજ્ય છે તે કેમ અધિકારીઓને દેખાતું નથી ? હાલમાં મોરબી પાલિકામાં વહીવટદારનું શાસન  છે. અને હવે મહાપાલિકા બનેલ છે ત્યારે ગાંધીજીની પ્રતિમા પાસે સફાઈ કરવામાં આવે તેના માટે જરૂરી આદેશ કરવામાં આવે તેવી માંગ કરી છે. અને જો સફાઈ નહીં કરવામાં આવે તો ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી છે.




Latest News