વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ગેસ લીકેજના બનાવમાં દાઝી જતા ચાર બાળકો સારવારમાં


SHARE









મોરબીમાં ગેસ લીકેજના બનાવમાં દાઝી જતા ચાર બાળકો સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે સિરામિકના કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગેસ લીકેજની ઘટના બની હતી.જે બનાવમાં દાજી જવાથી એક બાળક અને ત્રણ બાળકી એમ કુલ ચાર બાળકોને સારવાર માટે ખસેડાયા હતા.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામે લિવિટ સીરામીક નામના યુનિટના લેબર કવાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા પરિવારના બાળકો કારખાનાની લેબર રૂમમાં રમતા હતા.ત્યારે આગ લાગી હતી અને આ બનાવમાં પ્રિયા બરેજા (ઉંમર ૨) સંજીતી સિંગ (ઉંમર ૧) સંગીતા સિંગ (ઉમર ૧૧) અને કાર્તિક સિંગ (ઉમર ૫) એમ ચાર બાળકો દાજી ગયા હતા.જેથી શહેરના સામાકાંઠેની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બાબતે જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.પી.જાડેજા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બાળકો ઓરડીમાં રમતા હતા તે પૂર્વે તેમના પિતા ગેસનો બાટલો બદલાવીને બીજો બાટલો ચડાવીને કામે ગયા હતા અને દરમિયાનમાં રેગ્યુલેટર ચાલુ રહી ગયું હોય કોઈ કારણોસર બંધ ઓરડીમાં ગેસ પ્રસરી ગયો હતો અને બાદમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં ચાર બાળકો દાજી ગયા હોવાનું હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળે છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો.જ્યાં ઘર પાસે બનેલ મારામારીના બનાવમાં સોમીબેન માંડણભાઈ ભીમાણી (ઉમર ૪૫) અને માંડણભાઈ તળશીભાઇ ભીમાણી (ઉમર ૪૬) ને ઇજાઓ થતા સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા.તે રીતે જ મારામારીનો બીજો બનાવ મોરબીના નટરાજ ફાટક પાસે બન્યો હતો.જેમા મહાદેવના મંદિર પાસે થયેલ મારામારીના બનાવમાં માથાના ભાગે પથ્થર લાગતા રાજુભાઈ રસિકભાઈ જોશી (ઉમર ૪૫) રહે.ઘુંટુ રોડ સ્મશાન પાસે સામાકાંઠે મોરબી-૨ વાળાને ઇજા થતાં તેને પણ સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા ઉપરોક્ત બંને બનાવની તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ લાયન્સનગર વિસ્તારમાં રહેતા મગનભાઈ ભીખાભાઈ વાઘેલા નામનો ૩૮ વર્ષનો યુવાન તા.૬ ના રાત્રીના નવેક વાગ્યે પોતાના બાઈકમાં કારખાના બાજુથી ઘર બાજુ પરત આવતો હતો ત્યારે હળવદ રોડ ઉપર આવેલ સીએનજીના પંપ પાસે બાઈક સ્લીપ થવાનો બનાવ બન્યો હતો.જેમાં ડાબા પગે ઇજા થતાં તેને ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.






Latest News