વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા પરિવારની દીકરીની સગાઈ છૂટી કરવાની વાત આવતા ચિત્રોડી ગામે વાડીની ઓરડીમાં ઝેરી દવા પીને કર્યો આપઘાત ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ગેસ લીકેજના બનાવમાં દાઝી જતા ચાર બાળકો સારવારમાં


SHARE













મોરબીમાં ગેસ લીકેજના બનાવમાં દાઝી જતા ચાર બાળકો સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે સિરામિકના કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગેસ લીકેજની ઘટના બની હતી.જે બનાવમાં દાજી જવાથી એક બાળક અને ત્રણ બાળકી એમ કુલ ચાર બાળકોને સારવાર માટે ખસેડાયા હતા.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામે લિવિટ સીરામીક નામના યુનિટના લેબર કવાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા પરિવારના બાળકો કારખાનાની લેબર રૂમમાં રમતા હતા.ત્યારે આગ લાગી હતી અને આ બનાવમાં પ્રિયા બરેજા (ઉંમર ૨) સંજીતી સિંગ (ઉંમર ૧) સંગીતા સિંગ (ઉમર ૧૧) અને કાર્તિક સિંગ (ઉમર ૫) એમ ચાર બાળકો દાજી ગયા હતા.જેથી શહેરના સામાકાંઠેની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બાબતે જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.પી.જાડેજા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બાળકો ઓરડીમાં રમતા હતા તે પૂર્વે તેમના પિતા ગેસનો બાટલો બદલાવીને બીજો બાટલો ચડાવીને કામે ગયા હતા અને દરમિયાનમાં રેગ્યુલેટર ચાલુ રહી ગયું હોય કોઈ કારણોસર બંધ ઓરડીમાં ગેસ પ્રસરી ગયો હતો અને બાદમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં ચાર બાળકો દાજી ગયા હોવાનું હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળે છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો.જ્યાં ઘર પાસે બનેલ મારામારીના બનાવમાં સોમીબેન માંડણભાઈ ભીમાણી (ઉમર ૪૫) અને માંડણભાઈ તળશીભાઇ ભીમાણી (ઉમર ૪૬) ને ઇજાઓ થતા સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા.તે રીતે જ મારામારીનો બીજો બનાવ મોરબીના નટરાજ ફાટક પાસે બન્યો હતો.જેમા મહાદેવના મંદિર પાસે થયેલ મારામારીના બનાવમાં માથાના ભાગે પથ્થર લાગતા રાજુભાઈ રસિકભાઈ જોશી (ઉમર ૪૫) રહે.ઘુંટુ રોડ સ્મશાન પાસે સામાકાંઠે મોરબી-૨ વાળાને ઇજા થતાં તેને પણ સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા ઉપરોક્ત બંને બનાવની તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ લાયન્સનગર વિસ્તારમાં રહેતા મગનભાઈ ભીખાભાઈ વાઘેલા નામનો ૩૮ વર્ષનો યુવાન તા.૬ ના રાત્રીના નવેક વાગ્યે પોતાના બાઈકમાં કારખાના બાજુથી ઘર બાજુ પરત આવતો હતો ત્યારે હળવદ રોડ ઉપર આવેલ સીએનજીના પંપ પાસે બાઈક સ્લીપ થવાનો બનાવ બન્યો હતો.જેમાં ડાબા પગે ઇજા થતાં તેને ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.






Latest News