મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં અવારનવાર થતી ગોહત્યા રોકવા કડક કાર્યવાહી કરવાની રમેશભાઈ રબારીની માંગ


SHARE









મોરબી જિલ્લામાં અવારનવાર થતી ગોહત્યા રોકવા કડક કાર્યવાહી કરવાની રમેશભાઈ રબારીની માંગ

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગાની હત્યા કરવામાં આવી રહી છે અને અવરવર ગૌહત્યાના બનાવ સામે આવે છે ત્યારે તાજેતરમાં ખાખરેચી ગામના બે માલધારીઓની ગાયોની કતલ કરવામાં આવી છે જેથી કરીને ગાયની હત્યા કરનારા આરોપીઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ તેવી માંગ કરી છે.

હાલમાં મોરબી જિલ્લાના જે ગૌહત્યાની માહિતી સામે આવેલ છે અને ફરિયાદ આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરેલ છે જેથી પોલીસને મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ અભિનંદન આપેલ છે. અને કહ્યું હતું કે, 13 ગાયો લાપતા છે અને અન્ય માલધારી સમાજના લોકોની ગાયો પણ ગુમ છે ત્યારે ગાયોની હત્યા થઈ હોય તેવી શંકા છે જેથી કરીને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ફરી વખત આવી ઘટના મોરબી જિલ્લામાં કે અન્ય વિસ્તારોમાં ન બને તે માટે ગાયોની હત્યા કરનારા સામે આકરા પગલાં લઈને તેના જાહેરમાં વરઘોડા કાઢવામાં આવે તેવી માંગ કરી છે. અને ગાયની હત્યા કરનાર આરોપીને વકીલ ન મળે તેવી ગોઠવણ વકીલ મંડળ દ્વારા કરવી જરૂરી છે જેથી કરીને મોરબી બાર એસો.  દ્વારા આ મુદે ઠરાવ કરવામાં આવે તેવી પણ અપીલ કરેલ છે.






Latest News