મોરબી જિલ્લામાં અવારનવાર થતી ગોહત્યા રોકવા કડક કાર્યવાહી કરવાની રમેશભાઈ રબારીની માંગ
SHARE
મોરબી જિલ્લામાં અવારનવાર થતી ગોહત્યા રોકવા કડક કાર્યવાહી કરવાની રમેશભાઈ રબારીની માંગ
મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગાની હત્યા કરવામાં આવી રહી છે અને અવરનવર ગૌહત્યાના બનાવ સામે આવે છે ત્યારે તાજેતરમાં ખાખરેચી ગામના બે માલધારીઓની ગાયોની કતલ કરવામાં આવી છે જેથી કરીને ગાયની હત્યા કરનારા આરોપીઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ તેવી માંગ કરી છે.
હાલમાં મોરબી જિલ્લાના જે ગૌહત્યાની માહિતી સામે આવેલ છે અને ફરિયાદ આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરેલ છે જેથી પોલીસને મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ અભિનંદન આપેલ છે. અને કહ્યું હતું કે, 13 ગાયો લાપતા છે અને અન્ય માલધારી સમાજના લોકોની ગાયો પણ ગુમ છે ત્યારે ગાયોની હત્યા થઈ હોય તેવી શંકા છે જેથી કરીને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ફરી વખત આવી ઘટના મોરબી જિલ્લામાં કે અન્ય વિસ્તારોમાં ન બને તે માટે ગાયોની હત્યા કરનારા સામે આકરા પગલાં લઈને તેના જાહેરમાં વરઘોડા કાઢવામાં આવે તેવી માંગ કરી છે. અને ગાયની હત્યા કરનાર આરોપીને વકીલ ન મળે તેવી ગોઠવણ વકીલ મંડળ દ્વારા કરવી જરૂરી છે જેથી કરીને મોરબી બાર એસો. દ્વારા આ મુદે ઠરાવ કરવામાં આવે તેવી પણ અપીલ કરેલ છે.









